બનાસકાંઠા જીલ્લામાં આવેલ યાત્રાધામ, માં અંબે નાં અંબાજી ધામમાં, હાલ, ગુજરાતની દરેક જગ્યા થી, માં અંબે ના દર્શન માટે, ભાવી ભક્તો પગપાળા ચાલીને, જય અંબે, બોલમાડી અંબેના નાદ થી, અંબાજી ધામ ખાતે, દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે, પાટણ જીલ્લાના, રાધનપુર તાલુકાના, જેતલપુરા ગામમાં, બસ સ્ટેન્ડ ખાતે દર વર્ષે, અંબાજી જતા પદયાત્રીઓ માટે સુંદર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે છેલ્લા અવિરત 25 વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે પણ, 25 માં સેવા કેમ્પનું ભવ્ય આયોજન શ્રી રામ સેવા સમિતિ, જેતલપુરા દ્વારા કરવામાં આવ્યું છે. સેવા કેમ્પમાં, ચા, પાણી, ગરમા ગરમ નાસ્તો, મેડિકલ સુવિધાઓ તથા, આરામ વ્યવસ...
બનાસકાંઠા જીલ્લામાં આવેલ યાત્રાધામ, માં અંબે નાં અંબાજી ધામમાં, હાલ, ગુજરાતની દરેક જગ્યા થી, માં અંબે ના દર્શન માટે, ભાવી ભક્તો પગપાળા ચાલીને, જય અંબે, બોલમાડી અંબેના નાદ થી, અંબાજી ધામ ખાતે, દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે, પાટણ જીલ્લાના, રાધનપુર તાલુકાના, જેતલપુરા ગામમાં, બસ સ્ટેન્ડ ખાતે દર વર્ષે, અંબાજી જતા પદયાત્રીઓ માટે સુંદર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે છેલ્લા અવિરત 25 વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે પણ, 25 માં સેવા કેમ્પનું ભવ્ય આયોજન શ્રી રામ સેવા સમિતિ, જેતલપુરા દ્વારા કરવામાં આવ્યું છે. સેવા કેમ્પમાં, ચા, પાણી, ગરમા ગરમ નાસ્તો, મેડિકલ સુવિધાઓ તથા, આરામ વ્યવસ્થા સાથે, શ્રી રામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા, અંબાજી પગપાળા જતા ભાવીભક્તો માટે, ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા કેમ્પના આયોજક રાધનપુર તાલુકા પંચાયતના, ભાજપના ઉપ પ્રમુખ, અંબારામભાઈ ઠાકોર, હમીરભાઈ ઠાકોર, સુરેશભાઈ ઠાકોર, દિનેશભાઈ ઠાકોર, વિક્રમભાઈ ઠાકોર, દશરથભાઈ ઠાકોર, ભરતભાઈ વણકર, ગણપતભાઈ ઠાકોર તથા, જેતલપુરા ગ્રામજનોના, સહયોગ થી, સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા કેમ્પ ની મુલાકાત, રાધનપુર તાલુકા પંચાયતના, ભાજપના પ્રમુખ પ્રતિનિધિ, ભરતભાઈ પટેલે હાજરી આપી હતી, તથા, હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામા, સ્નેહીજનો સહિત, ભાવિક ભક્તો અને પદયાત્રીઓ જોડાયા હતા.