તિલકવાડા નર્મદા ઘાટ તરફ જવા માટેનો અતિ પૌરાણિક ઓવાળો જર્જરિત હાલતમાં, તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવા ઉઠી લોક માંગ


By News Update


તિલકવાડા નગરના, બ્રાહ્મણ શેરી વિસ્તાર નજીકથી, નર્મદા નદી પસાર થાય છે. અને, નદી તરફ જવા માટે, રાજા રજવાડા સમય નો, અતિ પૌરાણિક ઓવારો આવેલો છે. પરંતુ, આ ઓવાળો, ખૂબ જ જરજરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. મોટા વૃક્ષો ઊગી નીકળ્યા છે. રસ્તામાં મોટા, ગાબડા પડી ગયા છે. પગથિયાં પણ, તૂટી ગયા છે. જેના કારણે, ગામ લોકો અને, પરિક્રમા વાસીઓને, ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે, વહેલી તકે, આ ઓવારાનું રીપેરીંગ કામ કરવામાં આવે, તેવી ગામ લોકો દ્વારા, માંગ ઉઠવા પામી છે.  ઉલ્લેખનીય છે કે, તિલકવાડા નગર એ, અતિ પૌરાણિક ગામ છે. અને, અહીંયા મારુતિ મંદિર, સપ્તમાતૃકા, દ્વારિકાધીશ, મણી નાગેશ્વર, તિલક...

તિલકવાડા નગરના, બ્રાહ્મણ શેરી વિસ્તાર નજીકથી, નર્મદા નદી પસાર થાય છે. અને, નદી તરફ જવા માટે, રાજા રજવાડા સમય નો, અતિ પૌરાણિક ઓવારો આવેલો છે. પરંતુ, આ ઓવાળો, ખૂબ જ જરજરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. મોટા વૃક્ષો ઊગી નીકળ્યા છે. રસ્તામાં મોટા, ગાબડા પડી ગયા છે. પગથિયાં પણ, તૂટી ગયા છે. જેના કારણે, ગામ લોકો અને, પરિક્રમા વાસીઓને, ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે, વહેલી તકે, આ ઓવારાનું રીપેરીંગ કામ કરવામાં આવે, તેવી ગામ લોકો દ્વારા, માંગ ઉઠવા પામી છે.  ઉલ્લેખનીય છે કે, તિલકવાડા નગર એ, અતિ પૌરાણિક ગામ છે. અને, અહીંયા મારુતિ મંદિર, સપ્તમાતૃકા, દ્વારિકાધીશ, મણી નાગેશ્વર, તિલકેશ્વર, વિઠ્ઠલનાથજી મંદિર સહિત, અન્ય કેટલાક પૌરાણિક મંદિરો આવેલા છે. એટલે, અહીંયા દૂર દૂરથી, શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે, હાલ મોટી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. રોજે રોજ, ખૂબ મોટી સંખ્યામાં, પરિક્રમા વાંસીઓ, પગપાળા ચાલીને, આવતા હોય છે. પરંતુ, આ પરિક્રમા દરમિયાન, તિલકવાડા બ્રાહ્મણ શેરી વિસ્તારમાં થી પસાર થતી, નર્મદા નદી પસાર કરવી પડે છે. અને આ નદી તરફ નો રસ્તો, રાજા રજવાડાના, સમય માંનો હોય, અને, ઘણા વર્ષો થયા હોવાને કારણે, ખૂબ જ જર જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તા ઉપર ખૂબ મોટા વૃક્ષો ઊગી નીકળ્યા છે. કેટલીક જગ્યા ઉપર, પગથિયાં તૂટી ગયા છે. તો, કેટલીક જગ્યા ઉપર, ખૂબ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે, ગામ લોકોને, અને, ખાસ કરીને પરિક્રમા વાસીઓને, ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે, તાત્કાલિક ધોરણે,  વહીવટી તંત્ર, આ સમસ્યા ને ધ્યાનમાં લઈ, આ રસ્તા નું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી, ગામ લોકો દ્વારા, માંગ ગોઠવા પામી છે.

Read More