ભરૂચની જિલ્લા જેલ ખાતે, ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ, વૈભવી નાણાવટીના હસ્તે, સંભવ ઇનેશીટીવ,સંસ્થા દ્વારા , “કોશિશ કી આશ કેન્દ્રનું, ઉદઘાટન રીબીન કાપીને કરાયુ હતું..આ પ્રસંગે, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ, જસ્ટીસ વૈભવી ડી નાણાવટીએ, કેદીઓને, સંબોધતા કહ્યું કે, “કોશિશ કી આશના, શબ્દો જ ઘણું બધું કહી જાય છે. જેલ માં રહેલા, વ્યક્તિની, માનસિક સુખાકારી માટે, વ્યક્તિત્વ પરીક્ષણ, મનો વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ, મૂલ્યાંકન સાથે, મનોવૈજ્ઞાનિક સમર્થન અને, કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું કામ, સંસ્થા કરી રહી છે. જેનો સંપૂર્ણ લાભ, તમારે લેવાનો છે. આ સાથે, ન્યાયતંત્ર અને, પૂરો સમાજ, તમારી પડ...
ભરૂચની જિલ્લા જેલ ખાતે, ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ, વૈભવી નાણાવટીના હસ્તે, સંભવ ઇનેશીટીવ,સંસ્થા દ્વારા , “કોશિશ કી આશ કેન્દ્રનું, ઉદઘાટન રીબીન કાપીને કરાયુ હતું..આ પ્રસંગે, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ, જસ્ટીસ વૈભવી ડી નાણાવટીએ, કેદીઓને, સંબોધતા કહ્યું કે, “કોશિશ કી આશના, શબ્દો જ ઘણું બધું કહી જાય છે. જેલ માં રહેલા, વ્યક્તિની, માનસિક સુખાકારી માટે, વ્યક્તિત્વ પરીક્ષણ, મનો વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ, મૂલ્યાંકન સાથે, મનોવૈજ્ઞાનિક સમર્થન અને, કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું કામ, સંસ્થા કરી રહી છે. જેનો સંપૂર્ણ લાભ, તમારે લેવાનો છે. આ સાથે, ન્યાયતંત્ર અને, પૂરો સમાજ, તમારી પડખે ઉભો છે. કોઈ પણ ભૂલ થઈ છે, તો તેની સામે, તેના રસ્તાઓ પણ છે. ભારતનું બંધારણ, આપણા હક્કોને આધારે, કાયદાકીય સંરક્ષણ પૂરું પાડે છે. ભારતના તમામ નાગરિક એક સમાન છે. બંધારણે, જેમ આપણા ને, મુળભૂત હક્કો આપ્યા છે. તેમ, આપણી જવાબદારીઓ પણ, આપી છે. તેને અનુસરી, આપણે સૌએ, આપણા દેશને, આપણી નાગરિકતા, આપવાની છે. આપણે, ભૂલ કરી છે તો તે, સ્વિકારી આપણે હવે, સુધરવાનું છે..ત્યારે, આ ઈનેશેટીવ સંસ્થા તમારી મદદે આવી છે. ત્યારે, તમારા વ્યકિત્વમાં સુધારો આવે અને, આ દાખલો બેસે, તેવું વર્તન તમે બધા કરો. એવી આશા અમે રાખીયે, અને, મનો મન એક પ્રણ લઈએ કે, જીવન સાચું અને, સકારાત્મક જીવીશું. સંભવ ઈનિશિએટિવના સ્થાપક, કોશિશ કી આશના, હિરાંશી શાહ, કેન્દ્રની કામગીરી વિશે, વિગતો આપતા કહ્યું, સંભવ ઈનિશિએટિવના પેટ્રોન ઇન ચીફ ન્યાયાધીશ, સી કે.ઠક્કર, ભારતની સર્વોચ્ચ અદાલતના, ભૂતપૂર્વ ન્યાયાધીશ અને, સંભવ ઈનિશિએટિવના, પેટ્રન જસ્ટિસ એમ આર શાહ, ભારતની સર્વોચ્ચ અદાલતના, ભૂતપૂર્વ ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ, શરૂ કરવામા આવ્યુ હતું. કોશિશ કી આશ, કેદીઓના પુનર્વસન, સુધારણા અને, પુનઃ એકીકરણના ઉદ્દેશ્ય સાથે, કામ કરી રહી છે. આ કેન્દ્ર, ભરૂચના કેદીઓ માટે, 3 આર ના પ્રોટોટાઇપ,:રીચ આઉટ, રેપોર અને રિફોર્મના મિશન દ્વારા, તેમની માનસિક સુખાકારી માટે, વ્યક્તિત્વ પરીક્ષણ, મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ, મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને, કાઉન્સેલિંગ પ્રદાન કરશે. આ પ્રસંગે,ગુજરાત હાઈકોર્ટ ભૂતપૂર્વ જજ, જસ્ટિસ ડોક્ટર, અશોક કુમાર સી.જોષી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, આર કે દેસાઈ, ભરૂચ જિલ્લા જેલ ના.એન પી રાઠોડ, અધિક્ષક, જિલ્લા જેલ ભરૂચ અને, હિરાંશી શાહ, સંભવ ઈનિશિએટિવના સ્થાપક અને, જેલ વિભાગના કર્મચારીઓ, કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.