તિલક વાડા નગર એ, તાલુકા મથકે આવેલું ગામ છે. અને, અહીંયા આસ પાસના, ગ્રામ્ય વિસ્તારના લોકો, કામકાજ માટે, આવતા હોય છે. તો, તિલક વાડા નગરમાં, ગણસીદા રોડ તરફ જવાના માર્ગ ઉપર શ્રી કે એમ શાહ હાઇસ્કુલ આવેલી છે. જ્યાં,અંદાજિત 700 થી વધુ વિદ્યાર્થીઓ, અભ્યાસ કરે છે. પરંતુ, આ સ્કૂલના ગેટ બહાર, તંત્ર ની, ઘોર બેદરકારી સામે આવી છે. શાળા ના ગેટ બહારજ, વીજળીનો થાંભલો આવેલો છે. અને, આ થાંભલા નીચેથિ, છેલ્લા કેટલાક સમયથી, પાણીની લાઈન લીકેજ હાલત મા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમય થી, આ સમસ્યા હોય અને, તેનું નિરાકરણ આવતું ના હોઈ, ત્યારે, તંત્ર ની ઘોર બેદરકારી ના દ્રશ્યો, સામે આવી રહ્યા છે. પરંતુ, મહત્વ...
તિલક વાડા નગર એ, તાલુકા મથકે આવેલું ગામ છે. અને, અહીંયા આસ પાસના, ગ્રામ્ય વિસ્તારના લોકો, કામકાજ માટે, આવતા હોય છે. તો, તિલક વાડા નગરમાં, ગણસીદા રોડ તરફ જવાના માર્ગ ઉપર શ્રી કે એમ શાહ હાઇસ્કુલ આવેલી છે. જ્યાં,અંદાજિત 700 થી વધુ વિદ્યાર્થીઓ, અભ્યાસ કરે છે. પરંતુ, આ સ્કૂલના ગેટ બહાર, તંત્ર ની, ઘોર બેદરકારી સામે આવી છે. શાળા ના ગેટ બહારજ, વીજળીનો થાંભલો આવેલો છે. અને, આ થાંભલા નીચેથિ, છેલ્લા કેટલાક સમયથી, પાણીની લાઈન લીકેજ હાલત મા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમય થી, આ સમસ્યા હોય અને, તેનું નિરાકરણ આવતું ના હોઈ, ત્યારે, તંત્ર ની ઘોર બેદરકારી ના દ્રશ્યો, સામે આવી રહ્યા છે. પરંતુ, મહત્વની વાત તો એ છે કે, આ પાણીની પાઇપ લાઇન, છેલ્લા કેટલાક સમયથી લીકેજ હાલત માં હોય, ઉપર વીજ સપ્લાય જતો હોય અને, નજીક માં હાઈ સ્કૂલ આવેલી હોય, બાજુ માં મુખ્ય રસ્તો પસાર થતો હોય, અને, વીજ લાઇન અને, પાણી લીકેજ ને કારણે, કોઈ અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ....??? એટલે, વહેલી તકે આ સમસ્યા નો નિરાકરણ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.