ડેટોક્સ ઇન્ડિયા પ્રા. લી. કંપનીમાં બ્લાસ્ટ થતા 4 શ્રમજીવીના મોત


By News Update


ભરૂચ જિલ્લાના, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી, ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં, 3 ડિસેમ્બર 2024 ના રોજ, બ્લાસ્ટની ઘટના બનતા, દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે, બ્લાસ્ટ થતા, નજીકમાં કામ કરી રહેલા, 4 જેટલા શ્રમજીવીઓના, મોત નીપજ્યા હતા. કંપનીના એમ ઈ ઈ પ્લાન્ટમાં, સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતા, બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો, બીજી તરફ, બનાવની જાણ થતાની સાથે જ, ફાયર ફાઇટરો તેમજ, ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ, ઘટના સ્થળે પહોંચી હતી.  આ તરફ પોલીસ કાફલો પણ, ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને, જરૂરી તપાસ શરુ કરી છે. જોકે, ઘટનાના પગલે, ભરૂચ જિલ્લા કલેક્ટર, તુષાર સુમે...

ભરૂચ જિલ્લાના, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી, ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં, 3 ડિસેમ્બર 2024 ના રોજ, બ્લાસ્ટની ઘટના બનતા, દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે, બ્લાસ્ટ થતા, નજીકમાં કામ કરી રહેલા, 4 જેટલા શ્રમજીવીઓના, મોત નીપજ્યા હતા. કંપનીના એમ ઈ ઈ પ્લાન્ટમાં, સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતા, બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો, બીજી તરફ, બનાવની જાણ થતાની સાથે જ, ફાયર ફાઇટરો તેમજ, ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ, ઘટના સ્થળે પહોંચી હતી.  આ તરફ પોલીસ કાફલો પણ, ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને, જરૂરી તપાસ શરુ કરી છે. જોકે, ઘટનાના પગલે, ભરૂચ જિલ્લા કલેક્ટર, તુષાર સુમેરા પણ, કંપની ખાતે દોડી આવ્યા હતા. જ્યાં, મૃતકના પરિવારજનોએ, ન્યાયની માંગ સાથે, કલેક્ટરનો ઘેરાવો કરી, ઉગ્ર રજુઆત કરી હતી. તો, બીજી તરફ, બનાવના પગલે, નર્મદા જિલ્લા, ડેડીયા પાડા, આમ આદમી પાર્ટીના, ધારાસભ્ય, ચૈતર વસાવા પણ, કંપની ખાતે દોડી આવ્યા હતા. તેઓએ, મૃતકના પરિવારજનોની મુલાકાત કરી, સાંત્વના આપી હતી. આ સાથે જ, મૃતકના પરિવારોને, ન્યાય મળે તે માટે, સરકારમાં રજુઆત કરવા, બાંહેધરી આપી હતી. 

Read More