વાગરામાં અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સમસ્ત વાગરા મુસ્લિમ સમુદાયની માંગ


By News Update


ઉત્તર પ્રદેશની સંભલની ,જામા મસ્જિદનો વિવાદ, દેશભરમાં વકર્યો છે. આ દરમિયાન, રાજસ્થાન સ્થિત, અજમેર દરગાહ ચર્ચામાં આવી છે. દરગાહની ઇમારતના સ્થળે, અગાઉ ભગવાન, શિવનું મંદિર હોવાના દાવા બાદથી, વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે, કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન, હિન્દુ પક્ષ તરફથી, દરગાહ પરિસરમાં, એએસઆઇ, - ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ. દ્વારા સરવેની માંગ કરાઈ છે. હાલ કોર્ટે, આ કેસની સુનાવણી, આગામી થોડા સમય બાદ, કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ જો, આ કેસમાં, કોર્ટ તરફથી, સરવેનો આદેશ અપાશે તો, સંભલની મસ્જિદ બાદ, અજમેર દરગાહનું સરવે થઇ શકે છે. દરગાહના સર્વે મુદ્દે, દેશ ભરમાં મુસ્લિમ...

ઉત્તર પ્રદેશની સંભલની ,જામા મસ્જિદનો વિવાદ, દેશભરમાં વકર્યો છે. આ દરમિયાન, રાજસ્થાન સ્થિત, અજમેર દરગાહ ચર્ચામાં આવી છે. દરગાહની ઇમારતના સ્થળે, અગાઉ ભગવાન, શિવનું મંદિર હોવાના દાવા બાદથી, વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે, કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન, હિન્દુ પક્ષ તરફથી, દરગાહ પરિસરમાં, એએસઆઇ, - ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ. દ્વારા સરવેની માંગ કરાઈ છે. હાલ કોર્ટે, આ કેસની સુનાવણી, આગામી થોડા સમય બાદ, કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ જો, આ કેસમાં, કોર્ટ તરફથી, સરવેનો આદેશ અપાશે તો, સંભલની મસ્જિદ બાદ, અજમેર દરગાહનું સરવે થઇ શકે છે. દરગાહના સર્વે મુદ્દે, દેશ ભરમાં મુસ્લિમ સંગઠનો, વિરોધ દર્શાવી રહ્યા છે. તેવામાં, વાગરા મુસ્લિમ સમુદાયે પણ, પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને, 6 ડિસેમ્બર 2024 ના રોજ, જુમ્માની નમાજ બાદ, મુસ્લિમ સમાજના લોકો, વાગરા ડેપો સર્કલ ખાતે, ભેગા થયા હતા..અને, ડેપો સર્કલથી, વાગરા મામલતદાર કચેરી સુધી, મૌન રેલી સ્વરૂપે, દેખાવો કરી, વાગરા મામલતદાર મારફતે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને, આવેદન સ્વરૂપે, દરગાહના સર્વેના મુદ્દે, ન્યાય સંગત અને, શાંતિપૂર્ણ ઉકેલ લાવવા, અપીલ કરી હતી.આ વેળાએ, મોટી સંખ્યામાં, સમાજના લોકો, હાજર રહ્યા હતા.

Read More