નાંદોદ ધારાસભ્ય, ડૉક્ટર, દર્શનાબેન દેશમુખે જણાવ્યુ હતું કે, પોલિયો મુક્ત અભિયાન હેઠળ, ગુજરાતના 18 જિલ્લાઓ અને, 5 મહાનગર પાલિકામાં, સબ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે ની, ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, નર્મદા જિલ્લાના, બાળકોને, પોલિયો ન થાય અને, એમાંથી મુક્ત કરવા, નર્મદા જિલ્લામાં, વિવિધ જગ્યાએ, પોલિયો બુથ બનાવીને, જિલ્લા અને, અર્બન આરોગ્ય વિભાગ દ્વારા, બાળકોને, ઈમ્યુનાઈઝેશનની, સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં, સ્થાનિક લોકોએ, ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, ડૉક્ટર જનક માઢકે જણાવ્યું હતું કે, સબ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે નિમિત્તે, જિલ્લાના દરેક, આંગણ...
નાંદોદ ધારાસભ્ય, ડૉક્ટર, દર્શનાબેન દેશમુખે જણાવ્યુ હતું કે, પોલિયો મુક્ત અભિયાન હેઠળ, ગુજરાતના 18 જિલ્લાઓ અને, 5 મહાનગર પાલિકામાં, સબ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે ની, ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, નર્મદા જિલ્લાના, બાળકોને, પોલિયો ન થાય અને, એમાંથી મુક્ત કરવા, નર્મદા જિલ્લામાં, વિવિધ જગ્યાએ, પોલિયો બુથ બનાવીને, જિલ્લા અને, અર્બન આરોગ્ય વિભાગ દ્વારા, બાળકોને, ઈમ્યુનાઈઝેશનની, સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં, સ્થાનિક લોકોએ, ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, ડૉક્ટર જનક માઢકે જણાવ્યું હતું કે, સબ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે નિમિત્તે, જિલ્લાના દરેક, આંગણવાડી અને, શાળાઓ ખાતે, 0 થી 5 વર્ષના બાળકોને, પોલિયોના બે ટીપા, પિવડાવવાના, કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ, આરોગ્ય વિભાગ, આઈસીડીએસ સહિત, સૌના સહકારથી જિલ્લામાં, અન્ય તહેવારની જેમ, ઉજવણી કરવામાં આવી રહી છે. કુલ 60 હજાર જેટલા બાળકોને, આવરી લેવામાં આવનાર છે. વધુમાં, નર્મદા જિલ્લાના, તમામ 0 થી 5 વર્ષનાં બાળકને, નજીકનાં બૂથ પર જઈને, પોલીયોનાં બે ટીપાં, અવશ્ય પીવડાવવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસે, 224 બુથ ઉપર પોલિયોનાં ટીપાં, પિવડાવવામાં આવ્યાં હતાં.. તેમજ, આ ઝુંબેશ દરમિયાન, નર્મદા જિલ્લાનાં કુલ, 60 હજાર બાળકોને, જિલ્લાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા, પોલીયોનાં બે ટીપા, પિવડાવવામાં આવનાર છે. અને તારીખ 9 અને 10 ડિસેમ્બરના રોજ, બાકી રહેલા બાળકોને, આરોગ્ય-કર્મી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની 450 ટીમ દ્વારા, ઘરે-ઘરે જઈને, પોલિયોનાં બે ટીપા, પીવડાવવામાં આવનાર છે. સર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની 450 ટીમ દ્વારા, ઘરે-ઘરે જઈને, પોલિયોનાં બે ટીપા, પીવડાવવામાં આવનાર છે.