કરજણ ને.હા 48 ઉપર આવેલ શિવવાડી ના મહંત એવા પૂજ્ય ભિલાગીરી બાપુ ગતરોજ બ્રહ્મલીન થતા ભક્તોમાં ઘેરા શોક ની લાગણી ફેલાવા પામી હતી જેમની આજરોજ શિવવાળી ખાતે મંદિર ની બાજુમાં આવેલા સ્થાને સમાધિ યોજવામાં આવી હતી સવારથી ઉર્ધ્વબાહુ એવા ભોલાગીરી બાપુના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું વર્ષો પહેલા કરજણ ની આ ભૂમિખાતે આવેલા બાપુએ એક હાથ ઊંચો રાખી તપસ્યા કરી હતી લાખો ભક્તો વારતહેવારે અહીં આવતા અને દર્શન નો લાભ લેતા હતા 13જેટલા અખાડાના મહંત રહેલા બાપુ ના નિધનના સમાચાર મળતા ભક્તો શિવવાડી ખાતે આવવાની શરૂવાત થઈ હતી આજરોજ બાપુને શાસ્ત્રોક્ત વિધિ બાદ મંદિર ખાતે પાલકી ય...
કરજણ ને.હા 48 ઉપર આવેલ શિવવાડી ના મહંત એવા પૂજ્ય ભિલાગીરી બાપુ ગતરોજ બ્રહ્મલીન થતા ભક્તોમાં ઘેરા શોક ની લાગણી ફેલાવા પામી હતી જેમની આજરોજ શિવવાળી ખાતે મંદિર ની બાજુમાં આવેલા સ્થાને સમાધિ યોજવામાં આવી હતી સવારથી ઉર્ધ્વબાહુ એવા ભોલાગીરી બાપુના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું વર્ષો પહેલા કરજણ ની આ ભૂમિખાતે આવેલા બાપુએ એક હાથ ઊંચો રાખી તપસ્યા કરી હતી લાખો ભક્તો વારતહેવારે અહીં આવતા અને દર્શન નો લાભ લેતા હતા 13જેટલા અખાડાના મહંત રહેલા બાપુ ના નિધનના સમાચાર મળતા ભક્તો શિવવાડી ખાતે આવવાની શરૂવાત થઈ હતી આજરોજ બાપુને શાસ્ત્રોક્ત વિધિ બાદ મંદિર ખાતે પાલકી યાત્રા યોજી સમાધિ આપવામાં આવી હતી ખૂબ મોટી સનખિયામાં સંતો.મહંતો અને ભક્તો ઉપસ્થિત રહી બાપુના અતિમદર્શન કર્યા હતા