એસ્પિરેશનલ નર્મદા જિલ્લો, બહુલ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. રાજ્ય સરકાર દ્વારા, આદિજાતિ વિસ્તારમાં, આદિજાતિ ખેડૂતોને, કૃષિ વિષયક નવીન બાબતોની જાણકારી મળી રહે તથા, તેના જ્ઞાન અને, કુશળતામાં વધારો કરી, ખેતીને આધુનિક બનાવી, વધુ ખેત ઉત્પાદન મેળવી શકે, તેવા શુભ આશયથી એ જી આર 3 યોજના, લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત, આજ રોજ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ભીમસિંગભાઈ તડવી અને, નંદોદ ના ધારાસભ્ય, ડૉક્ટર દર્શનાબેન દેશમુખ ની ઉપસ્થિતિ માં, તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે, ખેડૂતો ને કૃષિ વિષયક, નવીન બાબતો ની જાણકારી આપી અને, તેના જ્ઞાન અને, કુશળતામાં વધારો થાય, અને ખેતીને, આધુનિક ...
એસ્પિરેશનલ નર્મદા જિલ્લો, બહુલ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. રાજ્ય સરકાર દ્વારા, આદિજાતિ વિસ્તારમાં, આદિજાતિ ખેડૂતોને, કૃષિ વિષયક નવીન બાબતોની જાણકારી મળી રહે તથા, તેના જ્ઞાન અને, કુશળતામાં વધારો કરી, ખેતીને આધુનિક બનાવી, વધુ ખેત ઉત્પાદન મેળવી શકે, તેવા શુભ આશયથી એ જી આર 3 યોજના, લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત, આજ રોજ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ભીમસિંગભાઈ તડવી અને, નંદોદ ના ધારાસભ્ય, ડૉક્ટર દર્શનાબેન દેશમુખ ની ઉપસ્થિતિ માં, તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે, ખેડૂતો ને કૃષિ વિષયક, નવીન બાબતો ની જાણકારી આપી અને, તેના જ્ઞાન અને, કુશળતામાં વધારો થાય, અને ખેતીને, આધુનિક બનાવી અને, ઉત્પાદન માં વધારો કરી શકે, તે ઉદ્દેશ્ય સાથે, કૃષિ મેળો અને, કૃષિ પ્રદર્શન, સહ ખેતી સામગ્રી ની, ચકાસણી માટે, કેમ્પનું આયોજન કરાયું. આ મેળામાં, એ જી આર 50 યોજના અંતર્ગત, 80 લાખથી વધુના લાભ આપવામાં આવ્યા. લાભ મેળવેલ તાલુકાના, 150 થિ વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા. સાથે, ખેડૂતોને, કૃષિ ને લગતી, વિવિધ યોજનાઓ વિષે, વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી. સાથે જ, ખેડૂતોને, બાગાયતી પાકો માં, પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી, કૃષિ ઉત્પાદન માં વધારો થાય અને, તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે, પ્રોત્સાહિત કરાયા.