નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ- એકતાનગર ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની.લી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૪નો પ્રાભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો આગામી તારીખ પાંચમી જાન્યુઆરી-૨૦૨૫ સુધી ચાલશે. ગુજરાતભરના અલગ-અલગ જિલ્લા...
નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ- એકતાનગર ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની.લી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૪નો પ્રાભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો આગામી તારીખ પાંચમી જાન્યુઆરી-૨૦૨૫ સુધી ચાલશે. ગુજરાતભરના અલગ-અલગ જિલ્લાઓમાંથી ૫૫ સ્વસહાયજૂથોની ૧૦૦ જેટલી બહેનો દ્વારા સ્ટોલ અને હાથે બનાવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવશે. મંત્રી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે સરસ મેળાને રિબીન કાપીને ખુલ્લો મૂકાયો હતો. વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, વર્ષો પહેલાં ગામડાની બહેનો આર્થિક તંગીનો સામનો કરતી હતી. ઘરના ખર્ચ પુરા કરવા માટે પણ મુશ્કેલી થતી હતી. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ, ગ્રામ વિકાસ વિભાગના GLPC દ્વારા બહેનો સખી મંડળો સાથે જોડી તેમને તાલીમ આપવામાં આવે છે. જે બહેનોને હસ્તકલા, કારીગરીમાં નિપુણ બનાવે છે. ત્યારબાદ બહેનોની બનાવેલી ચીજવસ્તુઓ વેચવા માટે સરકારે "સરસ મેળા" જેવા પ્લેટફોર્મનું આયોજન કર્યું. જ્યાં આ મહિલા દ્વારા થયેલા ઉત્પાદનોને વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે છે. આ પ્રાદેશિક સરસ મેળો એ લાંબા વિઝનનો વિસ્તૃત અને પ્રેરક ભાગ બની રહ્યો છે.