ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ નો વિરોધ


By News Update


આજરોજ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા, ઝાલોદ તાલુકાના ગામોમાં, ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લઈ, સરકાર શ્રી દ્વારા, વિકાસના નામે,  માંસણ નાળા જળાશય યોજના, એ બાદ, કાલી ટુ જળાશય યોજના, તે બાદ દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવે અને, હવે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવી, આદિવાસી ખેડૂત ખાતેદારોને, બરબાદ કરી નાખવાનું જે, ષડયંત્ર કરવામાં આવેલ છે. જો ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવામાં આવે તો, ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો, સરકારશ્રી દ્વારા, વારંવાર વિકાસના નામે, જમીન લેવામાં આવતા, ગરીબો પાસે, અન્ય કોઈ જમીન ન બચતા, આદિવાસી ખેડૂતોને, પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું, ખૂબ જ મુશ્કેલ બને તેમ છે. અને, ખેડૂત ...

આજરોજ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા, ઝાલોદ તાલુકાના ગામોમાં, ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લઈ, સરકાર શ્રી દ્વારા, વિકાસના નામે,  માંસણ નાળા જળાશય યોજના, એ બાદ, કાલી ટુ જળાશય યોજના, તે બાદ દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવે અને, હવે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવી, આદિવાસી ખેડૂત ખાતેદારોને, બરબાદ કરી નાખવાનું જે, ષડયંત્ર કરવામાં આવેલ છે. જો ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવામાં આવે તો, ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો, સરકારશ્રી દ્વારા, વારંવાર વિકાસના નામે, જમીન લેવામાં આવતા, ગરીબો પાસે, અન્ય કોઈ જમીન ન બચતા, આદિવાસી ખેડૂતોને, પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું, ખૂબ જ મુશ્કેલ બને તેમ છે. અને, ખેડૂત ખાતેદારો આદિકાળથી સંયુક્ત પરિવારમાં રહેતા આવેલ છે. તે પરિવારો, વેરવિખેર થઈ જશે. ખેડૂતોની રૂઢિ અને, પ્રણાલીઓ તૂટી જશે. આદિવાસી તરીકેની ઓળખ ભુસાઈ જશે અને, અન્ય કોઈ વિકલ્પ ન બચતા,  ખેડૂતો ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાઈ જતા, આદિવાસી ખેડૂત પરિવારો બરબાદ થઈ જશે. જે અંતર્ગત, આદિવાસી ખેડૂત પરિવારોના અને, બાળકોના ભવિષ્યની ચિંતા કરી, ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપક્રમે, ડોમેસ્ટિક એરપોર્ટ નો વિરોધ કરતું, આવેદન પત્ર પ્રાંત અધિકારી શ્રી, ઝાલોદ ને આપવામાં આવેલ હતું. જે અંતર્ગત, ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ, મુકેશભાઈ ડાંગી એ જણાવ્યું હતું કે, સરકાર શ્રી દ્વારા, ફક્ત જંગલની જમીન માં જ એરપોર્ટનું કામ કરવાનું કહી, ટાઢાગોળા અને, શારદા ગામની જંગલની જમીનનું સર્વે કરવામાં આવેલ છે. આ એરપોર્ટ માટે, 4190 એકર જમીનની જરૂરિયાત હોય અને, ખેડૂતોને ગેરમાર્ગે દોરી, સરકાર શ્રી દ્વારા, ફક્ત 1018 એકર જંગલની જમીનનું સર્વે કરાવેલ છે. જો ડોમેસ્ટિક એરપોર્ટ માટે, 4190 એકર જમીનની જરૂરિયાત હોય તો, ખૂટતી  3072 એકર જમીન, સરકાર ક્યાંથી લાવશે. એ જ મોટો પ્રશ્ન છે..ખેડૂતો સર્વેનો વિરોધ ન કરે તે માટે, ફક્ત જંગલની જ જમીન લેવાની છે કહી, જંગલમાં પગ પસેરો કરી દીધેલ છે. પરંતુ, જંગલની જમીનમાં, અમારા ઢોર ઢાખર નું નિર્વાહ ચાલતું હોઈ, અમો ખાનગી જમીન તો અલગ પરંતુ, જંગલની જમીન પણ એક ઈચ, આ એરપોર્ટ માટે આપવા માટે તૈયાર નથી. જો સરકાર જબરજસ્તીથી જમીન છીનવવાની કોશિશ કરશે તો,  આવનાર સમયની અંદર, સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂત ખાતેદારો અને, બોર્ડરે આવેલ, મધ્યપ્રદેશ અને, રાજસ્થાનના આદિવાસીઓ ને એક કરી, ગાંધી ચીંધ્યા માર્ગે, ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. એમ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, મુકેશભાઈ ડાંગી એ જણાવ્યું હતું.
આ આવેદનપત્ર અંતર્ગત, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા આદિવાસી સેલના પ્રમુખ, મુકેશભાઈ ડામોર, ઝાલોદ તાલુકા પંચાયત વિપક્ષ નેતા, અમરસિંહ ભાઈ માવી, ઝાલોદ શહેર પ્રમુખ, મુકેશભાઈ વસૈયા, ઇન્ડિયા ગઠબંધનના આપ પ્રમુખ, અનિલભાઈ ગરાસીયા, શ્રુતિ બેન ડામોર  સહિત, અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read More