કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ, પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા, બુથ પ્રમુખ સંવાદ તેમજ, વિધાનસભા સંકલન સમિતિ દ્વારા, સંવાદ કરીને, સકારાત્મકતા અને, સમરસતા સાથે, મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. જે મુજબ, નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં, તાલુકા ભારતીય જનતા પાર્ટીના, પ્રમુખની વરણી કરવામાં આવી છે. જે અંતર્ગત, તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે, યુવા મોરચાના પ્રમુખ, ગૌરાંગભાઈ બારીયાની વરણી કરવામાં આવી હતી. અને, મહાનુભવો ની ઉપસ્થિતિમા, નવ નિયુક્ત પ્રમુખ, ગૌરાંગભાઈ બારીયાએ, પ્રમુખ પદ સંભાળ્યો હતો. ત્યારે, આજ રોજ, તિલકવાડાના ક...
કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ, પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા, બુથ પ્રમુખ સંવાદ તેમજ, વિધાનસભા સંકલન સમિતિ દ્વારા, સંવાદ કરીને, સકારાત્મકતા અને, સમરસતા સાથે, મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. જે મુજબ, નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં, તાલુકા ભારતીય જનતા પાર્ટીના, પ્રમુખની વરણી કરવામાં આવી છે. જે અંતર્ગત, તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે, યુવા મોરચાના પ્રમુખ, ગૌરાંગભાઈ બારીયાની વરણી કરવામાં આવી હતી. અને, મહાનુભવો ની ઉપસ્થિતિમા, નવ નિયુક્ત પ્રમુખ, ગૌરાંગભાઈ બારીયાએ, પ્રમુખ પદ સંભાળ્યો હતો. ત્યારે, આજ રોજ, તિલકવાડાના કટકોઈ ખાતે, છોટા ઉદેપુર લોકસભા સાંસદ, જશુભાઈ રાઠવા તેમજ, અન્ય મહાનુભવો ની ઉપસ્થિતિમાં, નવ નિયુક્ત પ્રમુખ, ગૌરાંગભાઈ બારીયાને, અભિનંદન પાઠવવા માટે, સત્કાર સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં, ઉપસ્થિત સૌએ, નવ નિયુક્ત પ્રમુખને, ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં, ગૌરાંગભાઈ બારયાએ, ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો.