ચોમાસા બાદની શિયાળુ સીઝન ને લઈ, નર્મદા નિગમ દ્વારા, ખેડૂતો ને, ખેતીમાં સિંચાઈ ને લઈ, પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે, કિયા ગામે, ગામમાંથી પસાર થતી, 3 જેટલી કેનાલોમાં, સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલમાં ઝાડી ઝાખરા ના સામ્રાજ્ય ને લઈ, પાણી ઓવરફ્લો થતા, ગ્રામજનો એ, કેનાલ નું પાણી બંધ કરાવ્યું હતું. ગ્રામજનો દ્વારા, દિવાળી પહેલા, નિગમના અધિકારીઓ ને, કેનાલ સાફ કરવાની જાણ કરવા છતાં, જાડી ચામડીના અધિકારીઓએ, સફાઈ કરવાની તસ્દી પણ ન લીધી. જેને લઈ, હાલમાં પાણી છોડવામાં આવ્યું, એ ઓવરફ્લો થતા. બંધ કરવી પડી, જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. જે ખેડૂતો ને સિંચાઈ ની સુવિધા છે. એ પા...
ચોમાસા બાદની શિયાળુ સીઝન ને લઈ, નર્મદા નિગમ દ્વારા, ખેડૂતો ને, ખેતીમાં સિંચાઈ ને લઈ, પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે, કિયા ગામે, ગામમાંથી પસાર થતી, 3 જેટલી કેનાલોમાં, સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલમાં ઝાડી ઝાખરા ના સામ્રાજ્ય ને લઈ, પાણી ઓવરફ્લો થતા, ગ્રામજનો એ, કેનાલ નું પાણી બંધ કરાવ્યું હતું. ગ્રામજનો દ્વારા, દિવાળી પહેલા, નિગમના અધિકારીઓ ને, કેનાલ સાફ કરવાની જાણ કરવા છતાં, જાડી ચામડીના અધિકારીઓએ, સફાઈ કરવાની તસ્દી પણ ન લીધી. જેને લઈ, હાલમાં પાણી છોડવામાં આવ્યું, એ ઓવરફ્લો થતા. બંધ કરવી પડી, જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. જે ખેડૂતો ને સિંચાઈ ની સુવિધા છે. એ પાણી લઈ રહ્યા છે. પરંતુ, જેની પાસે સિંચાઈ નો માત્ર કેનાલજ વિકલ્પ છે, તે ખેડૂતો નું શું ? તંત્ર ના અણઘડ વહીવટ ના કારણે, હાલમાં શિયાળુ પાકમાં, ખેડૂતો સિંચાઈ ના પાણી માટે, વલખા મારવાનો વારો આવ્યો છે. જો નિયત સમયે કેનાલ સાફ કરાવી હોત તો, આજે આ પરિસ્થિતિનો સામનો ખેડુતો ને કરવો ના પડત.