જંબુસર નગર નાં, ટંકારી ભાગોળ સ્થિત આવેલ, બહુચર માતાજી મંદિર ખાતે, નાયક રેખાકુવર લાડુ કુવર નાયક દ્વારા, અખિલ ભારતીય, સનાતન ધર્મ કિન્નર સમાજનું, ભવ્ય સંમેલન નો, પ્રારંભ કરાયો. સંમેલનના પ્રારંભ સાથે, મંદિર ખાતે, વિવિધ ધાર્મિક કાર્યક્રમનું, ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં, મંડપ મૂર્હત, માતાજીનો નવચંડી યજ્ઞ, તથા, જવારા, રામાપીર નો પાઠ, સામૈયું, નગર યાત્રા તથા, માતાજીના જવારા, વળામણા યોજાશે. જે અંતર્ગત, આજરોજ, માતાજીના નવચંડી યજ્ઞનો સવારે પ્રારંભ કરાયો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા, વૈદિક મંત્રોચ્ચાર, સંગીતમય શૈલીમાં યજ્ઞ, વિધિ યોજાય હતી. બીજા દિવસે સવારે, સામૈયું અને, નગરયા...
જંબુસર નગર નાં, ટંકારી ભાગોળ સ્થિત આવેલ, બહુચર માતાજી મંદિર ખાતે, નાયક રેખાકુવર લાડુ કુવર નાયક દ્વારા, અખિલ ભારતીય, સનાતન ધર્મ કિન્નર સમાજનું, ભવ્ય સંમેલન નો, પ્રારંભ કરાયો. સંમેલનના પ્રારંભ સાથે, મંદિર ખાતે, વિવિધ ધાર્મિક કાર્યક્રમનું, ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં, મંડપ મૂર્હત, માતાજીનો નવચંડી યજ્ઞ, તથા, જવારા, રામાપીર નો પાઠ, સામૈયું, નગર યાત્રા તથા, માતાજીના જવારા, વળામણા યોજાશે. જે અંતર્ગત, આજરોજ, માતાજીના નવચંડી યજ્ઞનો સવારે પ્રારંભ કરાયો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા, વૈદિક મંત્રોચ્ચાર, સંગીતમય શૈલીમાં યજ્ઞ, વિધિ યોજાય હતી. બીજા દિવસે સવારે, સામૈયું અને, નગરયાત્રા જે, શહેરના ટંકારી ભાગોળથી, બેન્ડ વાજાના સુરીલા સંગીત સાથે, ભક્તિરસના સથવારે નીકળી, રબારીવાસ સહિત, શહેરના રાજમાર્ગો પર ફરી, ભાગલીવાડ પહોંચી હતી. જ્યાં, અગ્રણીઓનું સ્વાગત સન્માન કરાયું. .ત્યાંથી, પરત આવતા, બાકરસાહ સહિદ દરગાહ ખાતે, ચાદર ચડાવી તથા, સિકોતર માતા મંદિરે, ઘંટ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, પરત ટંકારી ભાગોળ મંદિર ખાતે, શોભાયાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું. જ્યાં, મહાપ્રસાદી નું ભવ્ય આયોજન કરાયું હતું. જંબુસર નગર ની જનતાએ દર્શનનો લાભ લીધો હતો.