રવિવાર એટલે રજાનો દિવસ. પણ, તમે સાંભળ્યું છે કે રવિવારે, સરકારી શાળા ચાલુ અને, સ્કૂલમાં બાળકો અભ્યાસ કરતા હોય. તો ચાલો, જાણીએ, એ સ્કૂલ વિષે. કે જ્યાં, રવિવારે સ્કૂલમાં, બાળકોને, કોમ્પિટિટિવ પરીક્ષાનો અભ્યાસ કરાવવામાં આવે છે. વાત છે, કરજણ નગરમાં, નવા બજાર વિસ્તારમાં આવેલ, જલારામ પ્રાથમિક શાળા ની. કે જ્યાં, આચાર્ય એવા, મોસીન ખલીફા દ્વારા, બાળકો ને, સ્કોલરશીપ ની પરીક્ષા માટે, અભ્યાસ કરાવવામાં આવે છે. અને, એ પણ, કોઈ શિક્ષકો દ્વારા નહિ. ભૂતકાળમાં, સ્કૂલમાં અભ્યાસ કરી ને ગયેલા વિદ્યાર્થીઓ દ્વારા. જેઓ, હાલમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. સ્કૂલમાં સ્લમ વિસ્તારના બાળકો, અભ્યાસ કર...
રવિવાર એટલે રજાનો દિવસ. પણ, તમે સાંભળ્યું છે કે રવિવારે, સરકારી શાળા ચાલુ અને, સ્કૂલમાં બાળકો અભ્યાસ કરતા હોય. તો ચાલો, જાણીએ, એ સ્કૂલ વિષે. કે જ્યાં, રવિવારે સ્કૂલમાં, બાળકોને, કોમ્પિટિટિવ પરીક્ષાનો અભ્યાસ કરાવવામાં આવે છે. વાત છે, કરજણ નગરમાં, નવા બજાર વિસ્તારમાં આવેલ, જલારામ પ્રાથમિક શાળા ની. કે જ્યાં, આચાર્ય એવા, મોસીન ખલીફા દ્વારા, બાળકો ને, સ્કોલરશીપ ની પરીક્ષા માટે, અભ્યાસ કરાવવામાં આવે છે. અને, એ પણ, કોઈ શિક્ષકો દ્વારા નહિ. ભૂતકાળમાં, સ્કૂલમાં અભ્યાસ કરી ને ગયેલા વિદ્યાર્થીઓ દ્વારા. જેઓ, હાલમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. સ્કૂલમાં સ્લમ વિસ્તારના બાળકો, અભ્યાસ કરતા હોય છે. જેઓ, સ્કોલરશીપ ની પરીક્ષા માટે ના, ક્લાસની ફી ચૂકવી ન શકે જેને લઈ, આચાર્ય દ્વારા, સ્કૂલમાં ભૂતકાળ માં, એન એમ એમ.એસ અને, સી ઇ ટી ની સ્કોલરશીપ ની પરીક્ષામાં, ઉત્તીર્ણ થયાં હોય એવા, વિદ્યાર્થીઓ દ્વારા, સ્કૂલના બાળકોને, સ્કોલરશીપ ની પરીક્ષા માટે, અભ્યાસ કરાવે છે. સ્કૂલમાં, શનિ - રવિ બે દિવસ, બે બે કલાક, બાળકોને, અભ્યાસ કરાવી તેઓને, સ્કોલરશીપ ની પરીક્ષા માટે, તૈયાર કરવામાં આવે છે. જેમાં, 35 થી 40 વિદ્યાર્થીઓ, લાભ લઇ રહ્યાં છે. ભૂતકાળમાં, સ્કૂલ માંથી 2015 16 માં 6 વિદ્યાર્થીઓ, એન એમ એમ.એસ ઉત્તીર્ણ થઈ, 48000 રૂપિયા ની સરકાર ની, સ્કોલરશીપ નો લાભ મેળવ્યો હતો. તેમજ, સી ઇ ટી માં પણ, 2023 24 માં 11 જેટલા વિદ્યાર્થીઓ, મેરીટ માં, આવ્યા હતા. અને, ગત વર્ષે 8 વિદ્યાર્થીઓ પણ, મેરીટ માં આવ્યા છે. કહેવાય છે ને કે, ભણતર વિના, ઘડતર નહિ. ભણતરનું સમાજમાં ખૂબ મહત્વ છે. ત્યારે, આવા નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા, વિદ્યાર્થીઓ ના ઘડતરની ચિંતા કરી, તેઓ ઉચ્ચકક્ષા સુધી પહોંચી શકે અને, સમાજ ના, ઉપીયોગ માં આવે, એવા ઉમદા હેતુ સાથે, સ્કૂલમાં રજાના દિવસે પણ, બાળકો ને અભ્યાસ કરાવવામાં આવે છે. આચાર્ય દ્વારા, સ્કૂલના વિદ્યાર્થીઓના, અભ્યાસ માટેના, અથાગ પ્રયત્નો ની સુવાસ, ચારે કોર ફેલાવા પામી છે. આમ, એક શિક્ષકની શિક્ષા પ્રત્યેની નિષ્ઠા, અહીં જોવા મળી રહી છે.
967 views
943 views
1026 views