આગામી જાન્યુઆરીમાં, પ્રયાગરાજમા મહાકુંભ પર્વ, 2025 યોજાશે જેમાં, આગામી તારીખ 11 જાન્યુઆરીને, શનિવારથી, 7 ફેબ્રુઆરી શુક્રવાર સુધી, સ્વામી ટેઉરામ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તથા, તારીખ 3 ફેબ્રુઆરી, સ્વામી ટેઉરામ જન્મચોથ થી, 7 ફેબ્રુઆરી એકાદશી સુધી, મહા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ દરમ્યાન મહાકુંભ પર્વ, 2025 દરમ્યાન, શનિવારે, સ્વામી ટેઉરામ જન્મદિન નિમિત્તે, તારીખ 13 જાન્યુઆરીને પોષ પૂર્ણિમા નિમિત્તે, પ્રથમ શાહી સ્નાન યોજાશે. તારીખ 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ દ્વિતીય શાહી સ્નાન, તારીખ 29 જાન્યુઆરી ને, મૌની અમાવસ્યા નિમિત્તે, તૃતીય શાહી સ્નાન તથ...
આગામી જાન્યુઆરીમાં, પ્રયાગરાજમા મહાકુંભ પર્વ, 2025 યોજાશે જેમાં, આગામી તારીખ 11 જાન્યુઆરીને, શનિવારથી, 7 ફેબ્રુઆરી શુક્રવાર સુધી, સ્વામી ટેઉરામ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તથા, તારીખ 3 ફેબ્રુઆરી, સ્વામી ટેઉરામ જન્મચોથ થી, 7 ફેબ્રુઆરી એકાદશી સુધી, મહા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ દરમ્યાન મહાકુંભ પર્વ, 2025 દરમ્યાન, શનિવારે, સ્વામી ટેઉરામ જન્મદિન નિમિત્તે, તારીખ 13 જાન્યુઆરીને પોષ પૂર્ણિમા નિમિત્તે, પ્રથમ શાહી સ્નાન યોજાશે. તારીખ 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ દ્વિતીય શાહી સ્નાન, તારીખ 29 જાન્યુઆરી ને, મૌની અમાવસ્યા નિમિત્તે, તૃતીય શાહી સ્નાન તથા, તારીખ 3 ફેબ્રુઆરી ને વસંત પંચમી નિમિત્તે, ચોથા શાહી સ્નાનનો કાર્યક્રમ યોજાશે.. સમગ્ર કાર્યક્રમની સેવા, સ્વામી ધર્મદાસ સ્વામી ટેઉરામ ટ્રસ્ટ, પ્રેમપ્રકાશ ધર્મ તિર્થ, વડોદરા દ્વારા, સ્વામી ધર્મપ્રકાશજી મહારાજ, સ્વામી અશોક પ્રકાશજી મહારાજ, સ્વામી રાજ પ્રકાશજી મહારાજ તથા, સ્વામી કિશોર પ્રકાશજી મહારાજના આશિર્વાદથી, કરવામાં આવશે..અહી, વિવિધ શહેરો માંથી સંતો, મહંતો પણ, ખાસ પધારશે અને, વિવિધ ધાર્મિક આયોજનો, તેમના દ્વારા કરવામાં આવશે. સત્સંગ શિબિર મા, અલગ અલગ કાર્યક્રમ કરવા મા આવે છે. શિબિર મા વ્રીન્દાવન થી શ્રી, પુંડરીક મહારાજ ની કથાનો વડોદરા ના શ્રધ્ધાળુઓ ને, કથા ના સૌભાગ્ય પ્રાત થયા, વડોદરા ના.પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ ના મુકેશ સાંઈએ જણાવ્યુ હતુ કે, તારીખ 3 થી 7 ફેબ્રુઆરી સુધી, સંતો ના જન્મ ઉત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવા મા આવશે.