આમોદ નગરપાલિકામાં 2015 થી 2020 ના પાંચ વર્ષના, સમય ગાળામાં, ૧૪ મા, નાણાપંચની ગ્રાંટમાંથી, પાલિકા શાસકોએ, સરકારની ગાઈડ લાઈન મુજબ, કામો કરવાને બદલે, અન્ય કામોમાં, કરોડો રૂપિયા વાપરી નાખતાં, આમોદ પાલીકાના, જાગૃત સદસ્ય અને, પૂર્વ કારોબારી અઘ્યક્ષ, બીજલ ભરવાડે, વીજીલન્સમાં ફરીયાદ કરી હતી. જેથી, આમોદ પાલિકાના મુખ્ય અધિકારી, પંકજ નાયકે, પાલિકાના 4 કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, 7 પૂર્વ મુખ્ય અધિકારી, તત્કાલીન શાસક અને, વિપક્ષના સદસ્યો, કર્મચારીઓ સહિત 45 થી વધુ લોકોને, નોટિસ ફટકારી હતી. નોટીસમાં જણાવ્યા મુજબ, નાણા પંચની ગ્રાંટમાંથી, સરકારની ગાઈડ લાઈન મુજબ, વિકાસ કામો કરવાના બદલે, ગ્રાંટને અ...
આમોદ નગરપાલિકામાં 2015 થી 2020 ના પાંચ વર્ષના, સમય ગાળામાં, ૧૪ મા, નાણાપંચની ગ્રાંટમાંથી, પાલિકા શાસકોએ, સરકારની ગાઈડ લાઈન મુજબ, કામો કરવાને બદલે, અન્ય કામોમાં, કરોડો રૂપિયા વાપરી નાખતાં, આમોદ પાલીકાના, જાગૃત સદસ્ય અને, પૂર્વ કારોબારી અઘ્યક્ષ, બીજલ ભરવાડે, વીજીલન્સમાં ફરીયાદ કરી હતી. જેથી, આમોદ પાલિકાના મુખ્ય અધિકારી, પંકજ નાયકે, પાલિકાના 4 કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, 7 પૂર્વ મુખ્ય અધિકારી, તત્કાલીન શાસક અને, વિપક્ષના સદસ્યો, કર્મચારીઓ સહિત 45 થી વધુ લોકોને, નોટિસ ફટકારી હતી. નોટીસમાં જણાવ્યા મુજબ, નાણા પંચની ગ્રાંટમાંથી, સરકારની ગાઈડ લાઈન મુજબ, વિકાસ કામો કરવાના બદલે, ગ્રાંટને અન્ય કામોમાં વાપરી નાંખી હતી..અને, આમોદ નગરનો, વિકાસ કહેવાતા, જન પ્રતીનિધી સહિત, અધિકારીઓ અને, કમૅચારીઓની મીલી ભગતથી, અટકી ગયો હતો. .આ ઉપરાંત, સ્વભંડોળ માંથી, લાઈટ બિલ, પગાર, ડીઝલ ખર્ચના નાણાં, ખર્ચ કરવાને બદલે, 14 માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરાતા. પાલિકાના શાસકો અને, કર્મચારીઓએ, મોટો ગેરવહીવટ કર્યો હતો. જેથી, આમોદ પાલિકાના, મુખ્ય અધિકારીની, કાર્યવાહીથી, પાલિકા તંત્રમાં દોડધામ મચી છે.. 2015 થી 2020 ના સમયગાળા દરમિયાન, પાલિકાને 14મા નાણાપંચની અંદાજીત છસ્સો સોળ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી હતી. .જેમાં, અધિકારીઓ અને, પદાધિકારીઓએ અને, કર્મચારીઓએ, આ ગ્રાંટને, આડેધડ વાપરી નાંખી ગેર વહીવટ કર્યો હતો. વર્ષ 2015 થી 2020 દરમિયાન, પાલિકાના પ્રમુખો, મુખ્ય અધિકારીઓ, કર્મચારીઓ અને, ચૂંટાયેલા સભ્યો સહિત 45 થી વધુ લોકોને, સાગમટે નોટિસ આપવામાં આવતાં, ખળભળાટ મચી ગયો હતો. આ બાબતે આમોદ પાલિકામાં, મુખ્ય અધિકારી, પંકજ નાયકે, જણાવ્યું હતું કે, વર્ષ 2015 થી 2020 સુધીમાં, 14 માં નાણાં પંચની ગ્રાન્ટ માંથી, સરકારની ગાઇડ લાઈન બહાર જે ચીફ ઓફિસર,પદાધિકારીઓ અને, કર્મચારીઓએ, ખર્ચ કરેલ છે. તેમને, નોટીસ આપી, સાત દિવસમાં ખુલાશો આપવા જણાવ્યું છે.