જંબુસર તાલુકાના, ઉમરા ગામે, છેલ્લા 25 વર્ષથી, નર્મદા કેનાલમાં પાણી નહી આવતા, ખેડૂતો ને, ખેતીની સિંચાઈ માટે, ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને, વરસાદી પાણીથી ખેતી કરતા, ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી. પરંતુ, પાણી આવતું ન હતું. આ બાબતે, ગ્રામજનોએ તરફ થી, વારંવાર રજુઆત કરવામાં આવી હતી. નર્મદા નિગમના અધિકારીઓ ફક્ત, આશ્વાસન આપતા પરંતુ, કોઈ કાર્યવાહી થતી ન હતી. જેથી, આ બાબતે, ગામના સરપંચ એસી મોરચા, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ, જયેશભાઈ કમલેશભાઈ પરમાર તથા, કલ્પેશ ઠાકોર તેમજ, ગામના ખેડૂતો દ્વારા, ધારાસભ્ય, ડી કે સ્વામીને, રજૂઆત કરાઈ હતી. ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરાતા, કેનાલના કા...
જંબુસર તાલુકાના, ઉમરા ગામે, છેલ્લા 25 વર્ષથી, નર્મદા કેનાલમાં પાણી નહી આવતા, ખેડૂતો ને, ખેતીની સિંચાઈ માટે, ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને, વરસાદી પાણીથી ખેતી કરતા, ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી. પરંતુ, પાણી આવતું ન હતું. આ બાબતે, ગ્રામજનોએ તરફ થી, વારંવાર રજુઆત કરવામાં આવી હતી. નર્મદા નિગમના અધિકારીઓ ફક્ત, આશ્વાસન આપતા પરંતુ, કોઈ કાર્યવાહી થતી ન હતી. જેથી, આ બાબતે, ગામના સરપંચ એસી મોરચા, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ, જયેશભાઈ કમલેશભાઈ પરમાર તથા, કલ્પેશ ઠાકોર તેમજ, ગામના ખેડૂતો દ્વારા, ધારાસભ્ય, ડી કે સ્વામીને, રજૂઆત કરાઈ હતી. ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરાતા, કેનાલના કામકાજની મંજૂરી મેળવી, નર્મદા નિગમના અધિકારીઓ સાથે, મીટીંગ યોજી, વહેલી તકે, નહેરમાં પાણી છોડવા માંગ કરાઈ હતી. નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર, બાગુલ રોનકભાઈ પ્રીતમભાઈ રાણા, અન્ય અધિકારીઓએ, અથાક મહેનત કરી, નહેરમાં પાણી લાવવામાં સફળ થયા. નહેરમાં નર્મદા ના નીર આવતા, પુષ્પોથી વધામણા કર્યા અને, 25 વર્ષે નર્મદાના નિર આવતા, મોં મીઠું કરાવી, ખુશી વ્યક્ત કરી, ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ, નિગમના અધિકારીઓનો, આભાર માન્યો. જયેશભાઈ ના જણાવ્યા અનુસાર, નહેરમાં પાણી આવતા, ખેડૂતો શિયાળુ પાક, ઘઉં, બાજરી, ચણા, મગ, મઠિયા જેવા, પાક ની ખેતી કરી શકશે. એવી આશા વ્યક્ત કરી હતી.