આમોદ ચોકડી થી કોંગ્રેસે સંવિધાન બચાવો રેલી કાઢી, કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા


By News Update


આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત, સંવિધાન બચાવો રેલી કાઢવામાં આવી હતી. જેમાં, એ આઈ સી સી ડેલીગેટ, મુમતાઝબેનનું,  કોંગ્રેસી અગ્રણી દ્વારા, સ્વાગત કરવામાં આવ્યુ હતુ..આ તબક્કે, કોંગ્રેસી કાર્યકરોએ, પ્લેકાર્ડ લઈને, જય બાપુ, જય ભીમ અને, જય સંવિધાનના સૂત્રોચાર કરવા સાથે, આમોદ ચાર રસ્તા થી, પદયાત્રા કાઢી, ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. પદયાત્રા, ઇકબાલ કાકુજી ની વાડી પાસે, મિટિંગમાં ફેરવાઈ હતી. જ્યાં, તાલુકા કોંગ્રેસ અને, શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોને, મુમતાઝબેન ના હસ્તે, નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ તબક્કે, મુમતાઝબેને, સંવિધાન બચાવવા, કોંગ્રેસ આખ...

આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત, સંવિધાન બચાવો રેલી કાઢવામાં આવી હતી. જેમાં, એ આઈ સી સી ડેલીગેટ, મુમતાઝબેનનું,  કોંગ્રેસી અગ્રણી દ્વારા, સ્વાગત કરવામાં આવ્યુ હતુ..આ તબક્કે, કોંગ્રેસી કાર્યકરોએ, પ્લેકાર્ડ લઈને, જય બાપુ, જય ભીમ અને, જય સંવિધાનના સૂત્રોચાર કરવા સાથે, આમોદ ચાર રસ્તા થી, પદયાત્રા કાઢી, ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. પદયાત્રા, ઇકબાલ કાકુજી ની વાડી પાસે, મિટિંગમાં ફેરવાઈ હતી. જ્યાં, તાલુકા કોંગ્રેસ અને, શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોને, મુમતાઝબેન ના હસ્તે, નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ તબક્કે, મુમતાઝબેને, સંવિધાન બચાવવા, કોંગ્રેસ આખા દેશમાં, જાગૃતિ  લાવવાનો પ્રયાસ કરશે, એમ જણાવ્યુ હતુ..યુ સી સી મુદ્દે, તેમણે જણાવ્યુ હતુ કે, આ કાયદો ભાજપ શાસિત રાજ્યોમાં જ કેમ, લાગુ કરવામાં આવે છે. સદર કાયદો દરેક ધર્મની સંસ્કૃતિ ને અસર કરનાર બની રહેશે. દેશમાં આજે, કેટલીક તાકાતો છે જે, સંવિધાન સાથે છેડછાડ કરી રહ્યા છે. દેશમાં સંવિધાન માં રહેલી ગેરંટી સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને, ધર્મ નિરપેક્ષતા ને બચાવવાની છે. જેને લઈને, દેશ આખામાં, રાહુલ ગાંધી લડાઈ લડી રહ્યા છે. જે લોકોને હક અને, ન્યાય ની જરૂરત છે. તેના માટે, અમે લડત આપી રહ્યા છે. આ પ્રસંગે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, રાજેન્દ્રસિંહ રાણા , તાલુકા કોંગ્રેસ પ્રમુખ, નરેન્દ્રભાઇ પટેલ, બચુ શેઠ, મેહબુબભાઈ કાકુજી, શહેર પ્રમુખ, મહેશભાઈ પટેલ, ધનુબેન, ઓબીસી અગ્રણી, વિરેનભાઈ ગઢવી સહિત, મોટી સંખ્યામાં, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read More