એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા સાતમા સમૂહ લગ્નોત્સવ યોજાયો


By News Update


જંબુસર અહલે સુન્નત વ  જમાઅત કમિટી દ્વારા,  સિકંદર ડેડી ની વાડી ખાતે, શહેર કાઝી સૈયદ, ગ્યાશુદ્દીન સાહેબની અધ્યક્ષતામાં, સાતમા ઇજતેમા નિકાહખ્વાની યોજાઇ હતી. જેમાં, સુલેમાન પટેલ જુલવા, અરવિંદ સિંહ રાણા, સૈયદ હસમત અલી બાપુ, મુફ્તી અશરફ બુરહાની, મુફ્તી શમશાદ સાહેબ, મૌલાના અખ્તર હુસેન અશરફી, આરીફ બાપુ, શાહ નવાજ બાપુ, આકીલ બાપુ, ઝહીર બાપુ સહિત, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એહલે સુન્નત વ, જમાઅત કમિટી સમાજમાં કુરિવાજો તેમજ, ફજુલ ખરચા સંપૂર્ણપણે નિર્મૂળ કરવા અને, નિરાધાર, ગરીબ, નિરાશ્રીત યુવક યુવતીઓના, શરિયત ના નિયમ મુજબ, અત્યંત સાદાઈ અને, ધાર્મિક ભાવના, અનુશાસનથી, સમુહ નિ...

જંબુસર અહલે સુન્નત વ  જમાઅત કમિટી દ્વારા,  સિકંદર ડેડી ની વાડી ખાતે, શહેર કાઝી સૈયદ, ગ્યાશુદ્દીન સાહેબની અધ્યક્ષતામાં, સાતમા ઇજતેમા નિકાહખ્વાની યોજાઇ હતી. જેમાં, સુલેમાન પટેલ જુલવા, અરવિંદ સિંહ રાણા, સૈયદ હસમત અલી બાપુ, મુફ્તી અશરફ બુરહાની, મુફ્તી શમશાદ સાહેબ, મૌલાના અખ્તર હુસેન અશરફી, આરીફ બાપુ, શાહ નવાજ બાપુ, આકીલ બાપુ, ઝહીર બાપુ સહિત, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એહલે સુન્નત વ, જમાઅત કમિટી સમાજમાં કુરિવાજો તેમજ, ફજુલ ખરચા સંપૂર્ણપણે નિર્મૂળ કરવા અને, નિરાધાર, ગરીબ, નિરાશ્રીત યુવક યુવતીઓના, શરિયત ના નિયમ મુજબ, અત્યંત સાદાઈ અને, ધાર્મિક ભાવના, અનુશાસનથી, સમુહ નિકાહ ખ્વાની યોજવામાં આવી હતી. જેમાં છ યુગલ જોડાઓએ લાભ લીધો,,તેઓને, જરુરી ઘર વપરાશની સામગ્રી અને, ઉપયોગી ચીજવસ્તુઓ, બક્ષીસ પેટે આપવામાં આવી હતી. સદર સમુહ નિકાહ ખ્વાનીનો પ્રારંભ તિલાવતે કુર્આનથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે, સમાજમાં, સમૂહ લગ્નથી ખોટા ખર્ચા પર રોક આવે છે. વ્યાજનું દુષણ દૂર કરવા, અપીલ કરી, કોઈકનું કર્જ ચૂકવવામાં આવે તે, સૌથી મોટી સેવા છે..તેમ કહી, સમૂહ લગ્નના ફાયદા સવિસ્તાર કુરાન પાક સરિયત સહિત ઉપસ્થિતિએ, સંબોધન કરી શ્રોતાઓને, ઉપદેશ કર્યા હતા. આ પ્રસંગે, અગ્રણી શાકીરભાઇ મલેક, , શાકીર બાપુ આરીફ સમદ. કાદર મિર્ઝા. સહિત એહલે સુન્નત વ જમાઅત કમિટી હોદ્દેદારો, કાર્યકરો, ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

Read More