તાંદલજા સૌદાગર પાર્ક ના રહીશો, છેલ્લા ૨ મહિનાથી, ગંદા પાણી ની સમસ્યા થી પીડાઈ રહ્યા છે. વારંવાર રૂબરૂમાં ફરિયાદો કરી, ઓનલાઇન ફરિયાદો કરી છતાં, કોઈ સમાધાન ના આવતા, આજરોજ, સૌદાગર પાર્ક ના રહીશો, અસફાક મલીક ની આગેવાની માં, વડીવાડી પાણી પુરવઠા કચેરીએ, હલ્લાબોલ કર્યું. અને, પાણી પુરવઠા અધિકારી નો ઘેરાવ કર્યો, અંતે, અધિકારીએ, તરતજ સ્થળ મુલાકાત કરી. કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપતા, રહીશોનો રોષ થાળે પડ્યો. જ્યારે, તાંદળજા વિસ્તારમાં આવેલી કાસો માં અને, તાંદળજા તળાવ માં, બિન વરસાદી ઋતુ હોવા છતાં, પાણી નું લેવલ ફુલ થઈ રહ્યુ છે. અને, સમગ્ર કાસમાં અને તળાવ માં, ડ્રેનેજ ના પાણીના કને...
તાંદલજા સૌદાગર પાર્ક ના રહીશો, છેલ્લા ૨ મહિનાથી, ગંદા પાણી ની સમસ્યા થી પીડાઈ રહ્યા છે. વારંવાર રૂબરૂમાં ફરિયાદો કરી, ઓનલાઇન ફરિયાદો કરી છતાં, કોઈ સમાધાન ના આવતા, આજરોજ, સૌદાગર પાર્ક ના રહીશો, અસફાક મલીક ની આગેવાની માં, વડીવાડી પાણી પુરવઠા કચેરીએ, હલ્લાબોલ કર્યું. અને, પાણી પુરવઠા અધિકારી નો ઘેરાવ કર્યો, અંતે, અધિકારીએ, તરતજ સ્થળ મુલાકાત કરી. કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપતા, રહીશોનો રોષ થાળે પડ્યો. જ્યારે, તાંદળજા વિસ્તારમાં આવેલી કાસો માં અને, તાંદળજા તળાવ માં, બિન વરસાદી ઋતુ હોવા છતાં, પાણી નું લેવલ ફુલ થઈ રહ્યુ છે. અને, સમગ્ર કાસમાં અને તળાવ માં, ડ્રેનેજ ના પાણીના કનેકશનનું જોડાણ હોવા થી, ડ્રેનેજ ના પાણી, આવવાથી બીમારીઓ ફેલાઈ રહી છે. અને, મચ્છરોના ત્રાસથી પ્રજા પરેશાન છે. તેમજ, વર્ષો થી તાંદળજા ગામ ના તળાવ નું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું નથી. જેથી, આજરોજ, વિરોધ પ્રદર્શન કરી માંગ કરવામાં આવી.