ભીમપુરા ગામમાં ભાથીજી મહારાજના સાનિધ્યમાં, મહા આરતી તેમજ, મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત ભરૂચ જિલ્લાના રાઠોડ, વસાવા સમાજ એક મંચ પર ભેગા થઈને, સમાજ માં અવરોધ રૂપ પરિબળ, જેવા કે, શિક્ષણ, વ્યસન, અંધ શ્રદ્ધા, બાળ લગ્ન, અને લગ્ન પ્રસંગોમાં, દેખાદેખીમાં ખોટો ખર્ચાઓ ન થાય તેમાટે, સમાજ ના શિક્ષિત આગેવાનો દ્વારા, માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમસ્ત ભીમપુરા ગામ તેમજ, આમોદ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા, ભીમપુરા ગામના સરપંચ, દીપસંગ ભાઈ રાઠોડ, નટવર ભાઈ રાઠોડ તેમજ, આમોદ તાલુકાના સમાજના આગેવાનોએ, સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં, મ...
ભીમપુરા ગામમાં ભાથીજી મહારાજના સાનિધ્યમાં, મહા આરતી તેમજ, મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત ભરૂચ જિલ્લાના રાઠોડ, વસાવા સમાજ એક મંચ પર ભેગા થઈને, સમાજ માં અવરોધ રૂપ પરિબળ, જેવા કે, શિક્ષણ, વ્યસન, અંધ શ્રદ્ધા, બાળ લગ્ન, અને લગ્ન પ્રસંગોમાં, દેખાદેખીમાં ખોટો ખર્ચાઓ ન થાય તેમાટે, સમાજ ના શિક્ષિત આગેવાનો દ્વારા, માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમસ્ત ભીમપુરા ગામ તેમજ, આમોદ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા, ભીમપુરા ગામના સરપંચ, દીપસંગ ભાઈ રાઠોડ, નટવર ભાઈ રાઠોડ તેમજ, આમોદ તાલુકાના સમાજના આગેવાનોએ, સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં, મુખ્ય મહેમાન, ધારાસભ્ય દેવ કિશોર સ્વામી સહિત, તાલુકા ના મહંતો તેમજ, ભરૂચ જિલ્લા, રાઠોડ સમાજના પ્રમુખ, મહેશભાઈ રાઠોડ, દક્ષિણ ગુજરાત હળપટી સમાજ ના પ્રમુખ, એડવોકેટ, ભરત ભાઈ રાઠોડ વગેરે, આગેવાનોએ, સમાજના અવરોધરૂપ પરિબળો સદર્ભે, પ્રવચન, માહિતી અને માર્ગદર્શન, ભરૂચ જિલ્લા ભરમાંથી, ઉપસ્થિત લોકોને પૂરું પાડ્યું હતું. ધારાસભ્ય ડી કે સ્વામી એ, જાહેર મંચ પરથી કહ્યું કે, 24કલાક જંબુસર આમોદના, આદિવાસી સમાજ ના સરકારી કામકાજ ને, લગતા પ્રાણ પ્રશ્નો, જેવા કે, સરકારી આવાસ, જે મકાન વિહોણા હોય, તેમને પ્લોટ, તેમજ સરકાર તરફથી મળતી સહાયો વગેરે માં મદદરૂપ થવા, તત્પર છું. તેમજ, પોતાના આધાર પુરાવા ને લગતા જરૂરી ડોક્યુમેન્ટો માં પડતી અગવડતા, તેમજ કોઈપણ અન્ય કામકાજ અર્થે, એપીએમસી આમોદ ના, ભાજપના કાર્યાલય પર, સંપર્ક કરવા આહવાન કર્યું હતું.