મહાકુંભ થી વારસિયા પ્રેમ પ્રકાશ ધર્મતિર્થ ના મુકેશ સાંઇ અને ચરણ સાંઇ 40 દિવસના સેવાયજ્ઞ બાદ વડોદરા પરત


By News Update


પ્રયાગરાજમા મહાકુંભ દરમિયાન સ્વામી ટેઉરામ સત્સંગ શિબિર થકી ધાર્મિક અને સામાજિક કાર્ય બાદ વારસિયા પ્રેમ પ્રકાશ ધર્મતિર્થ ના મુકેશ સાંઇ અને ચરણ સાંઇ 40દિવસના સેવાયજ્ઞ બાદ વડોદરા પરત આવતા સમાજના લોકો અને શહેરના લોકોએ તેઓનું ઢોલનગારા તથા ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું.તા. 11 જાન્યુઆરી થી તા. 07મી ફેબ્રુઆરી સુધી સ્વામી ટેઉરામ શિબિર દરમિયાન મુકેશ સાંઇ અને ચરણ સાંઇ ના માર્ગદર્શન હેઠળ અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સાથે જ પ્રયાગ રાજમાં આવતા શ્રધ્ધાળુઓ માટે તેઓ તરફથી રહેવા જમવા સહિતની અદભુત સેવાયજ્ઞ કરવામાં આવ્યું હતું સતત ચાલીસ દિવસ અહીં નિસ્વાર્થ સેવાયજ્ઞ ચલ...

પ્રયાગરાજમા મહાકુંભ દરમિયાન સ્વામી ટેઉરામ સત્સંગ શિબિર થકી ધાર્મિક અને સામાજિક કાર્ય બાદ વારસિયા પ્રેમ પ્રકાશ ધર્મતિર્થ ના મુકેશ સાંઇ અને ચરણ સાંઇ 40દિવસના સેવાયજ્ઞ બાદ વડોદરા પરત આવતા સમાજના લોકો અને શહેરના લોકોએ તેઓનું ઢોલનગારા તથા ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું.તા. 11 જાન્યુઆરી થી તા. 07મી ફેબ્રુઆરી સુધી સ્વામી ટેઉરામ શિબિર દરમિયાન મુકેશ સાંઇ અને ચરણ સાંઇ ના માર્ગદર્શન હેઠળ અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સાથે જ પ્રયાગ રાજમાં આવતા શ્રધ્ધાળુઓ માટે તેઓ તરફથી રહેવા જમવા સહિતની અદભુત સેવાયજ્ઞ કરવામાં આવ્યું હતું સતત ચાલીસ દિવસ અહીં નિસ્વાર્થ સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યું હતું જેનો અનુભવ વડોદરાથી જતાં હજારો શ્રધ્ધાળુઓ ને થયો છે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે પણ તેઓની સેવાયજ્ઞ ને બિરદાવી હતી આજે મુકેશ સાંઇ અને ચરણ સાંઇ વડોદરા આવ્યા ત્યારે તેઓનું ઢોલનગારા તથા ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સિંધી સમાજના લોકો તથા શ્રધ્ધાળુઓએ તેમના આશીર્વાદ લીધા હતા.સમગ્ર કાર્યક્રમ અંગે સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજમા ચાલીસ દિવસ સુધી અવિરત જ્યાં સુધી શ્રધ્ધાળુઓ ત્યાં જતાં હતાં તેઓને લેવા મૂકવાની વ્યવસ્થા,તેઓની રહેવા જમવા નાસ્તાની વ્યવસ્થા તથા શ્રધ્ધાળુઓ પરત ન આવી જાય ત્યાં સુધી તેમણે નિંદ્રા નથી લીધી આવા સેવાયજ્ઞ ની ધૂણી ધખાવીને મુકેશ સાંઇએ જે ભગીરથ સેવા ચાલીસ દિવસ સુધી કરી છે ત્યારે તેમને મ્યુનિસિપલ કાઉન્સિલરો, સમાજના આગેવાનો અને શ્રદ્દાળુઓએ વધાવી લીધા હતા.
 

Read More