સીઆઇએસએફના 56 માં સ્થાપના દિન નિમિત્તે સાયકલોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીઆઇએસએફ દ્વારા સુરક્ષિત તટ ,સુરક્ષિત ભારત થીમ પર સાયકલ યાત્રાનું 7 માર્ચના રોજ ભારત સરકારના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ સાહેબ દ્વારા વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. જેમાં એક ગ્રુપ જે ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ જે પશ્ચિમ બંગાળના બખ્ખાલી થી કુલ 125 સીઆઇએફ ના કર્મચારીઓ જેમાં 14 સાહસીક મહિલાઓએ ભાગ લીધો છે. જે 6,535 કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે.લખપતથી નીકળેલા 75 સીઆઇએસએફ કર્મચારીઓ જેમાં ચાર સાહસીક મહિલાઓ આજરોજ સાંજે કારેલ...
સીઆઇએસએફના 56 માં સ્થાપના દિન નિમિત્તે સાયકલોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીઆઇએસએફ દ્વારા સુરક્ષિત તટ ,સુરક્ષિત ભારત થીમ પર સાયકલ યાત્રાનું 7 માર્ચના રોજ ભારત સરકારના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ સાહેબ દ્વારા વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. જેમાં એક ગ્રુપ જે ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ જે પશ્ચિમ બંગાળના બખ્ખાલી થી કુલ 125 સીઆઇએફ ના કર્મચારીઓ જેમાં 14 સાહસીક મહિલાઓએ ભાગ લીધો છે. જે 6,535 કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે.લખપતથી નીકળેલા 75 સીઆઇએસએફ કર્મચારીઓ જેમાં ચાર સાહસીક મહિલાઓ આજરોજ સાંજે કારેલી ગામે સાયકલ યાત્રિકો આવી પહોંચતા ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા ભવ્ય સ્વાગત સાથે પુષ્પ માળા પહેરાવી સન્માન કર્યું હતું. ઢોલ નગારા સાથે સાઇકલ વીરોને દાંડી યાત્રી નિવાસ કારેલી ખાતે લઈ જવામાં આવ્યા, ગ્રામજનો નાની બાળો દ્વારા પુષ્પ વર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ, સીઆઇએસએફ કમાન્ડર કૃતિકા નેગી, ઉપ કમાન્ડર વી.એસ. પ્રતિહાર, મામલતદાર જંબુસર, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, માજી શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, સહિત સરપંચ કારેલી, પીલુદરા, અગ્રણીઓ, ગ્રામજનો ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.