પૂજ્ય પુંજીમા સવા બાપા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને, સમણ સંઘના સંયુક્ત ઉપક્રમે, દંતેશ્વર ખાતે, બહુજન નાયક, કાંશીરામજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, ગરીબ અને મધ્યમવર્ગના વગૅના, વિધાર્થીઓ માટે રાહત દરે, ટ્યૂશન આપવાના ક્લાસ, સાવિત્રી બાઇ ફૂલે, વિદ્યાર્થી સમણ સંઘ કેન્દ્ર નંબર 1 નો પૂર્વ ઉર્જા અને, ઉદ્યોગ મંત્રી, ભીખાભાઈ રબારીના હસ્તે, પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અગાઉ કાર્યક્રમમાં ઉપસ્થિત, પૂર્વ આઈપીએસ અધિકારી, ધગલજીના હસ્તે, માન્યવર કાશીરામજીની તસવીરને, પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે, ટ્રસ્ટના ડાયરેક્ટર અને, પૂર્વ મેયર, રતિલાલ...
પૂજ્ય પુંજીમા સવા બાપા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને, સમણ સંઘના સંયુક્ત ઉપક્રમે, દંતેશ્વર ખાતે, બહુજન નાયક, કાંશીરામજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, ગરીબ અને મધ્યમવર્ગના વગૅના, વિધાર્થીઓ માટે રાહત દરે, ટ્યૂશન આપવાના ક્લાસ, સાવિત્રી બાઇ ફૂલે, વિદ્યાર્થી સમણ સંઘ કેન્દ્ર નંબર 1 નો પૂર્વ ઉર્જા અને, ઉદ્યોગ મંત્રી, ભીખાભાઈ રબારીના હસ્તે, પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અગાઉ કાર્યક્રમમાં ઉપસ્થિત, પૂર્વ આઈપીએસ અધિકારી, ધગલજીના હસ્તે, માન્યવર કાશીરામજીની તસવીરને, પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે, ટ્રસ્ટના ડાયરેક્ટર અને, પૂર્વ મેયર, રતિલાલ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં, 100 વિધાર્થી સમણ સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. પૂર્વ ઉજૉ મંત્રી, ભીખાભાઈ રબારીએ, શૈક્ષણિક સ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો. ટ્રસ્ટની ગરીબ અને, મધ્યમવર્ગના વગૅના વિધાર્થીઓ માટે રાહત દરે, ટયૂશન આપવાની કામગીરીની સરાહના કરી, શુભકામનાઓ પાઠવી હતી. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, એડવોકેટ જનકભાઈ મકવાણાએ, ટ્રસ્ટની પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડી હતી.