"વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ, ભીડ ભંજન હનુમાનજી નું પવિત્ર મંદિર, શ્રદ્ધા, ભક્તિ અને, સંસ્કૃતિનું અગત્યનું કેન્દ્ર સ્થળ છે. અનેક વર્ષોથી, આ મંદિર લાખો ભક્તોની આશા અને, આરાધનાનું સાકાર સ્વરૂપ બન્યું છે. "અહીં, હનુમાનજીની પ્રતિમા વિષે માન્યતા છે કે, સાચી ભક્તિ અને, શ્રદ્ધાથી પ્રાર્થના કરવામાં આવે, ત્યાં દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. રામભક્ત હનુમાનજીની હાજરીમાં આજે, રામ નવમી જેવા પાવન અવસરે, મંદિરનું મહાત્મ્ય અનેકઘણું વધીને, ભક્તોના હ્રદયને સ્પર્શી જાય છે." "આજના દિવસે, શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે, મંદિર પરિસરમાં, ભક્તોનો ભારોભાર પ્રવાહ જોવા મળ્યો હતો...
"વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ, ભીડ ભંજન હનુમાનજી નું પવિત્ર મંદિર, શ્રદ્ધા, ભક્તિ અને, સંસ્કૃતિનું અગત્યનું કેન્દ્ર સ્થળ છે. અનેક વર્ષોથી, આ મંદિર લાખો ભક્તોની આશા અને, આરાધનાનું સાકાર સ્વરૂપ બન્યું છે. "અહીં, હનુમાનજીની પ્રતિમા વિષે માન્યતા છે કે, સાચી ભક્તિ અને, શ્રદ્ધાથી પ્રાર્થના કરવામાં આવે, ત્યાં દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. રામભક્ત હનુમાનજીની હાજરીમાં આજે, રામ નવમી જેવા પાવન અવસરે, મંદિરનું મહાત્મ્ય અનેકઘણું વધીને, ભક્તોના હ્રદયને સ્પર્શી જાય છે." "આજના દિવસે, શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે, મંદિર પરિસરમાં, ભક્તોનો ભારોભાર પ્રવાહ જોવા મળ્યો હતો. હજારો શ્રદ્ધાળુઓ, રામ ભક્તિમાં તન, મન અને, હૃદયથી લિન થઇ ગયા હતા. મંદિરના મહંત શ્રી, રોહીત ગિરી ગોસ્વામીના મધુર કંઠે અને તેમના વાજીંત્ર સહાયકો દ્વારા, "રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતા રામ" ની ગુંજતી રામ ધૂન, ભક્તોના અંતરમાં ઉતરી ગઈ. ધૂનના સંગે ભક્તો, રામભક્તિમાં ભીંજાઈ ગયા. વિશ્વાસ અને શ્રદ્ધાના પવિત્ર સૂર સાથે, દરિયાની જેમ લહેરાતી ભક્તિની આ ઊંડાણો, મંદિરના વાતાવરણને દિવ્ય બનાવી ગઈ. અનોખી ભાવનાઓ સાથે, ઊજવાયેલો આજનો, શ્રી રામ જન્મોત્સવ, લોકોના હૃદયમાં, ભગવાન રામ માટેની, પ્રેમભીની લાગણીઓને, ફરી એકવાર જીવંત કરી ગઈ.