રાષ્ટ્રિય અન્ન નાગરિક સુરક્ષા હેઠળ આવતા ગરીબ રેશનકાર્ડ ધારકોના હક્કોને સુરક્ષિત રાખવા કોંગ્રેસનું આવેદનપત્ર


By News Update


આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનોએ આજે આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે NFSA હેઠળના રેશનકાર્ડ ધારકોને તંત્ર તરફથી આવક મર્યાદા અને જમીન માલિકીના ધોરણોને આધારે નોટિસ અપાઈ છે. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આ નોટિસો ગરીબ તથા આદિવાસી પરિવારો માટે અયોગ્ય છે, કારણ કે ઘણા લોકોને તો જીએસટી એટલે શું તે પણ ખબર નથી.

કોંગ્રેસનું મંતવ્ય છે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ દરેક પાત્ર વ્યક્તિને સબસીડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સો અ...

આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનોએ આજે આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે NFSA હેઠળના રેશનકાર્ડ ધારકોને તંત્ર તરફથી આવક મર્યાદા અને જમીન માલિકીના ધોરણોને આધારે નોટિસ અપાઈ છે. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આ નોટિસો ગરીબ તથા આદિવાસી પરિવારો માટે અયોગ્ય છે, કારણ કે ઘણા લોકોને તો જીએસટી એટલે શું તે પણ ખબર નથી.

કોંગ્રેસનું મંતવ્ય છે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ દરેક પાત્ર વ્યક્તિને સબસીડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સો અલગથી ગણવો જોઈએ, અને ફક્ત જમીન માલિકીના આધારે રેશનકાર્ડ રદ કરવું ગેરકાયદેસર છે. પાત્રતા નક્કી કરવા માટે સામાજિક અને આર્થિક માપદંડોનો આધાર લેવો જરૂરી છે.

આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે ચેતવણી આપી હતી કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા માટે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે, તો કોંગ્રેસ તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Read More