પાટણ જિલ્લાના રાધનપુર ખાતે, આવેલ અંબિકા રોડ ઉપર, શ્રીજી નગર સોસાયટીના રહીશો, છેલ્લા દસ વર્ષથી, વસવાટ કરતા હોય, હજુ સુધી નગરપાલિકા દ્વારા, તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી. નગરપાલિકા પાસેથી, પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા, શ્રીજી નગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે. ગુજરાત સરકાર, ભારત સરકાર, નગરપાલિકા, અને પાણી પુરવઠા વિભાગ, પીવાનું શુદ્ધ અને, ચોખ્ખું પાણી આપવા, મોટી મોટી વાતો અને, જાહેરાતો કરે છે. પરંતુ, રાધનપુર નો એક વિસ્તાર એવો છે, જેને, છેલ્લા દસ વર્ષથી, નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી. શ્રીજી નગરના રહીશો દ્વારા, વારંવાર રજૂઆતો કરવા છતાં, નગ...
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે, આવેલ અંબિકા રોડ ઉપર, શ્રીજી નગર સોસાયટીના રહીશો, છેલ્લા દસ વર્ષથી, વસવાટ કરતા હોય, હજુ સુધી નગરપાલિકા દ્વારા, તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી. નગરપાલિકા પાસેથી, પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા, શ્રીજી નગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે. ગુજરાત સરકાર, ભારત સરકાર, નગરપાલિકા, અને પાણી પુરવઠા વિભાગ, પીવાનું શુદ્ધ અને, ચોખ્ખું પાણી આપવા, મોટી મોટી વાતો અને, જાહેરાતો કરે છે. પરંતુ, રાધનપુર નો એક વિસ્તાર એવો છે, જેને, છેલ્લા દસ વર્ષથી, નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી. શ્રીજી નગરના રહીશો દ્વારા, વારંવાર રજૂઆતો કરવા છતાં, નગરપાલિકા દ્વારા, કોઈપણ જાતની, પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી. શ્રીજી નગરના રહીશો, નગરપાલિકા પાસેથી, પૈસા ભરી, ટેન્કર મંગાવા મજબૂર બન્યા છે. નગરપાલિકા ને, રહીશોને પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે. પરંતુ, આ રહીશો પાસેથી, નગરપાલિકા પૈસા વસૂલ કરી અને, ટેન્કરો આપે છે. પરંતુ, નગરપાલિકા પાણી આપવાની તેની જવાબદારી નીભાવતી નથી. અને, પીવાનું પાણી આપતી ન હોય, તેને લઈને, શ્રીજી નગરના રહીશો, શુદ્ધ અને, ચોખ્ખું પાણી મળી રહે, તેવી માંગણી કરી રહ્યા છે. શું? શ્રીજી નગરના રહીશોને, નગરપાલિકા, પીવાનું પાણી આપશે કે, છેલ્લા દસ વર્ષથી, પાણી ની રાહ જોઈ રહિલા રહેશો ને હજુ પણ, પાણી ની રાહ જોવી પડશે?