તિલકવાડા તાલુકાના, ભાદરવા સ્થિત, ભાથીજી મહારાજનું, અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર ખાતે, ભક્તોની ભારે આસ્થા રહેલી છે. ત્યારે, આજે પૂનમના પાવન અવસર પર દૂર દૂરથી ભક્તો, ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે, દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ, ભરૂચ લોકસભાના સાંસદ, મનસુખભાઈ વસાવા પણ, ભાદરવા સ્થિત, ભાથીજી મહારાજના મંદિરે, દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા અને, ભાથીજી મહારાજના દર્શન કરી, ધન્યતા નો અનુભવ કર્યો હતો. ત્યારે, મીડિયા કર્મીઓ સાથે વાત કરતા, સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, ભાદરવા સ્થિત, ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. અહીંયા, ભક્તો...
તિલકવાડા તાલુકાના, ભાદરવા સ્થિત, ભાથીજી મહારાજનું, અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર ખાતે, ભક્તોની ભારે આસ્થા રહેલી છે. ત્યારે, આજે પૂનમના પાવન અવસર પર દૂર દૂરથી ભક્તો, ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે, દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ, ભરૂચ લોકસભાના સાંસદ, મનસુખભાઈ વસાવા પણ, ભાદરવા સ્થિત, ભાથીજી મહારાજના મંદિરે, દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા અને, ભાથીજી મહારાજના દર્શન કરી, ધન્યતા નો અનુભવ કર્યો હતો. ત્યારે, મીડિયા કર્મીઓ સાથે વાત કરતા, સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, ભાદરવા સ્થિત, ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. અહીંયા, ભક્તોની ભારે આસ્થા રહેલી છે. અને, દૂર દૂરથી ભક્તો, અહીંયા આ દર્શન માટે આવતા હોય છે. અને, અહીંયા સાક્ષાત ભાથીજી મહારાજ, બિરાજમાન છે. અને, ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે. વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું કે, હાલ કેટલાક ભક્તો ફાગવેલ અને, મીનાવાડા પગપાળા જતા હોય છે. તો, કેટલાક ગાડી મારફતે જતા હોય છે. પરંતુ, એ ભક્તોને આ રસ્તામાં પોલીસ તરફથી, ભારે હેરાન ગતિ કરવામાં આવતી હોય છે. જે બાબત હું, સંસદમાં પણ રજૂઆત કરીશ. ત્યારે, પોલીસ મિત્રો આ ભક્તોને, સાથ સહકાર આપે, કારણકે હજારો વર્ષ પછી, આ ભક્તો ધર્મના રસ્તા પર જઈ રહ્યા છે. એટલે, કોઈપણ પોલીસ મિત્ર, ભક્તોને હેરાન,ગતિ ના કરે તેમ, સંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું.