આછોદ બેઠક માટે આમ આદમી પાર્ટી માંથી જયંતીભાઈ મોતીભાઈ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું


By News Update


આછોદ બેઠકના સદસ્યનું, બે વર્ષ પહેલાં નિધન થતાં, બેઠક ખાલી પડી હતી. આજ રોજ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર, જયંતીભાઈ મોતીભાઈ વસાવાએ, આછોદ બેઠક માટે,  પોતાના ટેકેદારો સાથે, ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે, ડમી ઉમેદવાર તરીકે, આમોદ તાલુકાના, સોનામાં ગામના, રાજભાઈ વિનોદભાઈ વસાવાએ, કાર્યકરો સાથે, આમ આદમી પાર્ટીમાંથી, ડમી ફોર્મ ભર્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા લોકસભા પ્રમુખ, યાકુભાઈ ગુરુજી, મહામંત્રી સફિકભાઈ યુસુફભાઈ નારસી સહિત, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આછોદ બેઠકનાં, ભાજપનાં સદસ્ય અમરસંગ વસાવાનું, બે વર્ષ પહેલા, અચાનક મૃત્યું થતાં, બેઠક ખાલી પડી હતી....

આછોદ બેઠકના સદસ્યનું, બે વર્ષ પહેલાં નિધન થતાં, બેઠક ખાલી પડી હતી. આજ રોજ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર, જયંતીભાઈ મોતીભાઈ વસાવાએ, આછોદ બેઠક માટે,  પોતાના ટેકેદારો સાથે, ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે, ડમી ઉમેદવાર તરીકે, આમોદ તાલુકાના, સોનામાં ગામના, રાજભાઈ વિનોદભાઈ વસાવાએ, કાર્યકરો સાથે, આમ આદમી પાર્ટીમાંથી, ડમી ફોર્મ ભર્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા લોકસભા પ્રમુખ, યાકુભાઈ ગુરુજી, મહામંત્રી સફિકભાઈ યુસુફભાઈ નારસી સહિત, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આછોદ બેઠકનાં, ભાજપનાં સદસ્ય અમરસંગ વસાવાનું, બે વર્ષ પહેલા, અચાનક મૃત્યું થતાં, બેઠક ખાલી પડી હતી..જેથી, સ્થાનિક સ્વરાજ્યની, ભરૂચ જીલ્લાની, આછોદ બેઠક માટે, પેટા ચૂંટણી જાહેર થતાં, રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અને, રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો શોધવામાં લાગી ગઈ હતી. ત્યારે, આજ રોજ, આમ આદમી પાર્ટીના આમોદ તાલુકાના, રોધ ગામના, જયંતીભાઈ મોતીભાઈ વસાવાને, ઉમેદવાર બનાવી, ચૂંટણી અધિકારી, ડૉક્ટર સુપ્રિયા ગાંગુલીને, ઉમેદવારી ફોર્મ આપ્યું હતું. 

Read More