આમોદ માં બારસો વર્ષ પુરાણું પાલેશ્વર મંદિરે વહેલી સવાર થીજ દર્શન સાથે અભિષેક


By News Update


આમોદ શહેર ના વાંટા વિસ્તાર માં અંદાજિત બારશો વર્ષ પુરાણુ પાલેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે.વર્ષો પેહલા ભટકતું જીવન ગુજરાતા વણજારા લોકો આમોદ ના આ વિસ્તાર માં મજૂરી અર્થે વસવાટ કર્યો હતો અને શિવ ભક્ત હતો અને ઉપવાસ કરતો હતો અને ટેક રાખી હતી જ્યાં સુધી મહાદેવ ના દર્શન નહીં કરું ત્યાં સુધી ઉપવાસ નહીં તોડું અને કેટલાય દિવસો સુધી ભૂખ્યો રહ્યો અને  પથારીવસ બન્યો.મહાદેવ સ્વપ્ન માં આવ્યા અને કહ્યું કે તું પથારી માં સૂતો ત્યાંજ હું છું.વણજારા ઓ એ ત્યાં આસપાસ પડેલ પાંદડાં હટાવતા સ્વયંભુ  ચમત્કારીક શિવલીગ ના દર્શન થતા વણજારા એ પૂજા અર્ચના કરી પોતાના ઉપવાસ પૂર્ણ કર્યા હત...

આમોદ શહેર ના વાંટા વિસ્તાર માં અંદાજિત બારશો વર્ષ પુરાણુ પાલેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે.વર્ષો પેહલા ભટકતું જીવન ગુજરાતા વણજારા લોકો આમોદ ના આ વિસ્તાર માં મજૂરી અર્થે વસવાટ કર્યો હતો અને શિવ ભક્ત હતો અને ઉપવાસ કરતો હતો અને ટેક રાખી હતી જ્યાં સુધી મહાદેવ ના દર્શન નહીં કરું ત્યાં સુધી ઉપવાસ નહીં તોડું અને કેટલાય દિવસો સુધી ભૂખ્યો રહ્યો અને  પથારીવસ બન્યો.મહાદેવ સ્વપ્ન માં આવ્યા અને કહ્યું કે તું પથારી માં સૂતો ત્યાંજ હું છું.વણજારા ઓ એ ત્યાં આસપાસ પડેલ પાંદડાં હટાવતા સ્વયંભુ  ચમત્કારીક શિવલીગ ના દર્શન થતા વણજારા એ પૂજા અર્ચના કરી પોતાના ઉપવાસ પૂર્ણ કર્યા હતા.ઉપવાસ ને લઈને કેટલાય દિવસો વણજારા ભૂખ્યા રહ્યા જેથી ડૂબળા થઈ ગયેલા વણજારા ને પ્રગટ થઈને દર્શન આપી પાલન પોષણ કર્યું જેથી પાલેશ્વર મહાદેવ નામ થી બારશો વર્ષ થી આ મંદિર આમોદ પંથકમાં ઓળખાય છે.      આજરોજ શિવરાત્રીના પાવન અવસરે હર હર મહાદેવના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયાં હતો . ભાવિક ભક્તોએ વહેલી સવારથી ભોળાનાથના દર્શન તથા અભિષેક માટે શિવાલયો ખાતે પહોંચી ગયાં હતાં. ઓમ નમ: શિવાય મંત્રના જાપથી વાતાવરણ ભકિતમય બની ગયું હતું. ભરૂચમાં આવેલાં શિવમંદિરો ખાતે બુધવારે સવારથી શિવરાત્રી પર્વ નિમિત્તે દેવાલયોની બહાર મેળામય માહોલ જોવા મળ્યો હતો. ભાવિક ભક્તોએ પાલેસ્વર મહાદેવ ને બિલીપત્ર અર્પણ કરી તેમજ દુગ્ધાભિષેક કરી તેમના શુભાશિષ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. શિવરાત્રીના પાવન પ્રસંગે શિવજીને રીઝવવા માટે શ્રદ્ધાળુઓ ભકિતમાં લીન બની ગયાં હતાં. અને સાંજે મહાઆરતી બાદ મહાપ્રસાદી સાથે ભાંગ નો પ્રસાદ નું વર્ષો થી ચાલતી પરંપરા મુજબ આયોજન થાય છે. અને ભાવિભક્તો ની શ્રદ્ધા સાથે  મનોકામના પૂર્ણ થાય છે.              શહેર તથા સમગ્ર તાલુકા આવેલાં મંદિરો ને પુષ્પોથી શણગારવામાં આવ્યાં હતાં. સવારથી જ઼ ઓમ નમ: શિવાય મંત્રના જાપ શરૂ કરવામાં આવતાં સમગ્ર આમોદ પંથક ના વાતાવરણમાં શિવભકિતની લહેરકી ફરી વળી હતી.શહેરના તેમજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર તમામ શિવમંદિરો ખાતે દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી..

Read More