સાતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે ઐતિહાસિક પૌરાણિક શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિ દિવસીય મહાયજ્ઞ મહોત્સવ


By News Update


પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના,  આલુવાસ ગામ ખાતે, શ્રી ખોડા બાપા પરિવાર, આલુવાસ દ્વારા, મહાકાળી માતાજીના મંદિર ખાતે, ત્રિ-દિવસીય મહાયજ્ઞ મહોત્સવ ચાલી રહેલ છે.  તારીખ ૩ ૪ ૨૦૨૫  ને, ચૈત્ર સુદ પાંચમથી, તારીખ 6 4 2025 ને, ચૈત્ર સુદ આઠમ સુધી, ત્રણ દિવસ મહાયજ્ઞ, સાથે સાથે ત્રણેય રાત્રે, અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. આજે રાત્રે, ભવ્ય રમેલ, જેમાં કલાકારો ખૂબસ રાયકા અને, સંજય નાગોહ ની ઉપસ્થિત ની અંદર, મહાકાળી માતાજીના ભુવાજી, શ્રી વજાભાઇ આહીર દ્વારા, સરસ મજાનું આયોજન કરેલું છે. આવનારા મહેમાનો માટે, રહેવા જમવા ની વ્યવસ્થા, સાધુ સંતો માટે, સરસ મજાનું રહેવા જમવાની વ્યવસ્થા અને,...

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના,  આલુવાસ ગામ ખાતે, શ્રી ખોડા બાપા પરિવાર, આલુવાસ દ્વારા, મહાકાળી માતાજીના મંદિર ખાતે, ત્રિ-દિવસીય મહાયજ્ઞ મહોત્સવ ચાલી રહેલ છે.  તારીખ ૩ ૪ ૨૦૨૫  ને, ચૈત્ર સુદ પાંચમથી, તારીખ 6 4 2025 ને, ચૈત્ર સુદ આઠમ સુધી, ત્રણ દિવસ મહાયજ્ઞ, સાથે સાથે ત્રણેય રાત્રે, અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. આજે રાત્રે, ભવ્ય રમેલ, જેમાં કલાકારો ખૂબસ રાયકા અને, સંજય નાગોહ ની ઉપસ્થિત ની અંદર, મહાકાળી માતાજીના ભુવાજી, શ્રી વજાભાઇ આહીર દ્વારા, સરસ મજાનું આયોજન કરેલું છે. આવનારા મહેમાનો માટે, રહેવા જમવા ની વ્યવસ્થા, સાધુ સંતો માટે, સરસ મજાનું રહેવા જમવાની વ્યવસ્થા અને, મહેમાનો માટે, સરસ મજાનું આયોજન કરેલું છે. જેમાં 151 કુંડીનો મહાયજ્ઞ યોજાઇ રહ્યો છે, આ પ્રસંગે સમગ્ર ચોરાડ પંથકના લોકો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના, આલુવાસ ગામ ખાતે આવેલ, ઐતિહાસિક અને, પૌરાણિક મહાકાળી માતાજી નો અનોખો મહિમા છે. પરચા ધારી જગ્યાની અંદર, દર માસે, આઠમના દિવસે, યજ્ઞ ભજન અને ભોજન સાથે, કાર્યક્રમ યોજાય છે તો, આ માતાજીની જે કોઈપણ વ્યક્તિ બાધા રાખે, તેની મનોકામના પૂર્ણ થાય છે. હજારો પરિવારોને માતાજી દ્વારા, પારણા બંધાવી આપવામાં આવેલા છે. મહાકાળી માતાજીએ, દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે. માતાજીનો ઇતિહાસ તમે એકવાર, મહાકાળી માતાજીના દર્શન જશો તો, તમને જાણવા મળશે અને, માતાજીના અનેક પરચાઓ ભક્તોને આપેલા છે. આજે, આવેલા મહેમાનોનું, ભુવાજી વજાભાઈ આહીર અને, બાબુભાઈ આહીર દ્વારા, સન્માન કરવામાં આવ્યું હતું. સાધુ સંતો નું સન્માન કરવામાં આવ્યું હતું.  તો રાજકીય અગ્રણીઓ અને, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ માં, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

Read More