આમોદ માં દલીત સમાજ દ્વારા, બાબા સાહેબ આંબેડકર વિરૂદ્ધ, દેશ નાં ગૃહ મંત્રીએ કરેલ, ટિપ્પણી ને લઇ, આમોદ મામલતદાર ને, આવેદન પત્ર પાઠવ્યું હતું. હાલ માં, ભારત ની સંસદ માં, સત્ર ચાલી રહ્યું છે. જેમાં, દેશના ગૃહ મંત્રીએ, બાબા સાહેબ આંબેડકર ની શાન માં, અપમાનજનક શબ્દો નો, પ્રયોગ કરતા. દલીત સમાજ, લાલ ઘુમ થઈ ગયો છે. અને, ભારત ભર માં, વિરોધ પ્રદર્શન અને ઠેર ઠેર, આવેદન પત્ર પાઠવવા માં આવી રહ્યાં છે. જે અંતર્ગત, આમોદ નાં દલીત સમાજ દ્વારા, આજ રોજ, આમોદ મામલતદારને, આવેદનપત્ર પાઠવી, દેશ નાં ગૃહ મંત્રી વિરૂદ્ધ, રોષ વ્યક્ત કર્યો હતો. આવેદન પત્ર માં જણાવ્યા અનુસાર, દેશ નાં ગૃહ મંત્રી, જાહેર માં માફી ...
આમોદ માં દલીત સમાજ દ્વારા, બાબા સાહેબ આંબેડકર વિરૂદ્ધ, દેશ નાં ગૃહ મંત્રીએ કરેલ, ટિપ્પણી ને લઇ, આમોદ મામલતદાર ને, આવેદન પત્ર પાઠવ્યું હતું. હાલ માં, ભારત ની સંસદ માં, સત્ર ચાલી રહ્યું છે. જેમાં, દેશના ગૃહ મંત્રીએ, બાબા સાહેબ આંબેડકર ની શાન માં, અપમાનજનક શબ્દો નો, પ્રયોગ કરતા. દલીત સમાજ, લાલ ઘુમ થઈ ગયો છે. અને, ભારત ભર માં, વિરોધ પ્રદર્શન અને ઠેર ઠેર, આવેદન પત્ર પાઠવવા માં આવી રહ્યાં છે. જે અંતર્ગત, આમોદ નાં દલીત સમાજ દ્વારા, આજ રોજ, આમોદ મામલતદારને, આવેદનપત્ર પાઠવી, દેશ નાં ગૃહ મંત્રી વિરૂદ્ધ, રોષ વ્યક્ત કર્યો હતો. આવેદન પત્ર માં જણાવ્યા અનુસાર, દેશ નાં ગૃહ મંત્રી, જાહેર માં માફી માંગે અને, પોતાનાં હોદ્દા પર થી, રાજીનામું આપે, તેવી માંગ કરી હતી. જ્યારે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને 4 વધુ લોકો ભેગા નાં થાય, તે હેતુસર, આજ રોજ આમોદ મામલતદારને, આવેદન પત્ર પાઠવતા, વેરા દલીત આગેવાન, હીરા ભાઈ સોલંકી, કનુભાઈ સોલંકી, કેતન મકવાણા, નરેશ પંડયા, ભરત ભાઈ પરમાર, સહિત નાં દલીત આગેવાન, હાજર રહયા હતા.